November 13, 2025
જીવનશૈલી

‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ક્ષય નિવારવા દર્દીઓને આપાઇ ન્યુટ્રીશિયન કીટ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કાર્યરત ‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ને સાકાર કરવાના હેતુસર રાજકોટ શહેરમાં પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે શહેરી ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા હોસ્પિટલના ઈનચાર્જ અધિક્ષકશ્રી ડો. સંદીપભાઈ વાછાણી અને આર.એમ.ઓ.શ્રી ડો. નૂતનબેન લુંગાતરના અધ્યક્ષસ્થાને ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાભાવીઓશ્રી ભુપતભાઈ લુણાગરિયા અને જીજ્ઞાબેન લુણાગરિયાના સહયોગથી ટી.બી.ના ૨૦ દર્દીઓને પોષણ આહારની કીટ અપાઈ હતી. આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસરશ્રી ડો. મૂંગરાભાઈ અને સુપરવાઈઝરશ્રી મહેશભાઇ રાચ્છ એ ટી.બી.ના દર્દીઓને નિયમિત સારવાર લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટી.બી. વીઝીટરશ્રીઓ યોગીતાબેન અને દિવ્યેશભાઈ એ કર્યું હતું. આ ઉપરાંત, જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામભાઈ મહેતા તથા ડો. સુરેશભાઈ લક્કડના માર્ગદર્શન હેઠળ ક્ષયના ૫૦ જેટલા દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાભાવી દાતાશ્રીઓ ધીરૂભાઈ હાપલીયા, રાજુભાઈ રૂપાપરા, ઉમેશભાઈ માલાણી, અને અશોકભાઈ ઝાલાવડીયાએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મલ્ટી ડ્રગ રેસીસ્ટન્ટ ટ્યુબરક્લોસીસના દર્દીઓએ રોગ અંગે પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી મહેશભાઈ રાચ્છ, શ્રી પિયુષભાઈ કેલેયા, શ્રી ગાર્ગીવભાઈ ભટ્ટ, શ્રી ધ્રુવભાઈ સહિતના સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી, તેમ ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

Related posts

શું શરીરના વધતા વજનને કારણે ચાલવું મુશ્કેલ થઈ ગયું છે? ઉનાળામાં આ ફળ ખાવાનું શરૂ કરો, ચરબી બરફની જેમ પીગળી જશે

admin

યુવાનીમાં રાખો આ આદતોનું ધ્યાન, એક નાની ભૂલ આખી જિંદગી બરબાદ કરી દેશે

Ahmedabad Samay

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

Ahmedabad Samay

હાઈ કોલેસ્ટ્રોલમાં ત્વચા પર દેખાય છે આ લક્ષણો, અવગણના કરશો તો પડશે ભારે

Ahmedabad Samay

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો