June 21, 2026
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે.

સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની પરવાનગીઓ આપી છે. જોકે કેટલીક શરતોને આધીન રહેશે. સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.સરકારે એવુ પણ જણાવ્યુ છે કે દારૂ , પાન-મસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળે સેવન નહિ કરી શકાય. જાહેર સ્થળો પર તેના સેવન પર  પ્રતિબંધ રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે લોકોએ આવી દુકાનો પર ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. એટલુ જ નહિ દુકાન પર પ થી વધુ લોકો દુકાનમાં હોવા ન જોઇએ. લોકડાઉન ૩.૦માં  પાન-મસાલા,ગુટખાની પરવાનગી અપાઇ છે. માત્ર કંન્ટેમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.  દારૂનુ વેચાણ મોલ્સ અને કોમ્પલેક્ષમાં થઇ નહિ શકે. ત્યાં ૧૭મી સુધી પ્રતિબંધ રહેશે. જો કે  કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ નથી કર્યુ કે ક્યાં ઝોન માં પાન – મસાલાની છુટ રહે અને કયા ઝોનમાં નહિ રહે. પરંતુ એવો અંદાજ મુકવામાં આવે છે કે આ છુટછાટ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જ  મળશે.

Related posts

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો