August 9, 2026
ગુજરાતઅપરાધ

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેહવાડીમાં રહેતા બે શખ્સ નકલી નોટો લઈ ઉજાલા સર્કલ તરફ આવવાના છે. જેથી પોલીસે સર્કલ પાસે વોચ ગોઠવી. શંકાસ્પદ શખ્સ આવતાં જ બંનેને પોલીસે ઝડપી લીધાં. બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા એકનું નામ લક્ષ્‍મણ બેગડા અને કૃણાલ ઠક્કર હોવાનું સામે આવ્યું. તેઓ પાસે રહેલા થેલામાંથી કુલ 367 જેટલી રૂ. 2000ના દરની નોટો મળી આવી. પોલીસે નકલી નોટો અંગે ખાતરી કરવા FSL ના અધિકારીને જાણ કરી.

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે વડોદરાના બાપૂ ઉર્ફે ભુવાજી એ આ બને શખશોને આ નોટો આપી હતી. અને નકલી નોટોને તાંત્રિક વિધિથી અસલી બનાવવાનું કહીને રવાના કર્યા હતા. પરંતુ બે દિવસ પછી ભુવા ઉર્ફે બાપુ એ નકલી નોટો અસલી નહિ થાય તેવું જણાવ્યું. આખા નકલી નોટોના શડયંત્રમાં એક શિક્ષક મનુસિંગ અને મહેબૂબ ખાન ના નામ પણ સામે આવ્યા છે. બીજીતરફ FSLના અધિકારીએ નોટો તપાસ કરતા સાચી નોટ કરતા આ નોટોનો કલર અને ક્વોલિટી નબળી હતી. નોટોની વચ્ચે સિક્યુરિટી થ્રેડ અને વોટર માર્ક પણ નહોતા. જુદા જુદા સીરિયલ નંબરની અનેક નોટો છે.

પકડાયેલા બને આરોપીઓ નોટો વટાવી 50-50 ટકા કમાણી કરવાના હોવાનું સામે આવ્યું હતું.

Related posts

હિંમતનગરના બુટલેગરને 156 બીયરના ટીન આપવા કારમાં નીકળેલા બે બુટલેગરોને શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી દબોચ્યા

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં વિદ્યાના મંદિરમાં રક્ષક જ બન્યો ભક્ષક,ખાખીએ એક ગુરુની કરી છેડતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો