November 14, 2025
ગુજરાત

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા હોવાની હાર્દિક પટેલે જાહેરાત કરી છે. હાર્દિક પટેલે ટ્‍વિટ કરીને આ જાહેરાત કરી છે. જોકે, સરકાર તરફથઆ આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્‍યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્‍યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્‍પેશ કથરિયા, રેશ્‍મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્‍યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્‍યા હતાં. ત્‍યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના ૧૦ વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે ૧૦ વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોસ્‍ટ કરી એવો સંદેશ આપ્‍યો છે કે, ભૂપેન્‍દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે. હાર્દિક પટેલની એક્‍સ પર આ જાહેરાત બાદ વિવિધ પાટીદાર નેતાઓએ સરકારનો આભાર માન્‍યો છે.

આજે ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્‍યક્‍ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, ૧૦૦૦ કરોડની યુવા સ્‍વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે ૧૦્રુ અનામતનો લાભ મળ્‍યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્‍યક્‍ત કરું છું.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનર અલ્‍પેશ કથીરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્‍યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા, તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ ૧૪ કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્‍યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. ૮ કેસ અમદાવાદના છે, ૨ કેસ સુરતના, ૩ કેસ ગાંધીનગરના અને ૧ કેસ મહેસાણાનો છે. આ મળી કુલ ૧૪ જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.

Related posts

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો