March 29, 2026
દેશ

આજ બપોરે સેનાનું એક હેલીકોપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે.જેમાં ચીફ ઓફ ડીફેન્સ બિપિન રાવત સવાર હતા

આજે બપોરે સેનાનું એક હેલીકોપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) તેમના પત્નિ સહિત ૧૪ લોકો બેઠા હતા. ૩ લોકોને ઈજા થઈ છે. આ લખાય છેે ત્યારે મળતા અહેવાલો અનુસાર આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૪ જેટલા ટોચના અધિકારીઓ શહીદ પણ થયા છે.  વાયુદળે આ દુર્ઘટનાની તપાસના આદેશો આપ્યા છે. છેલ્લે મળતા અહેવાલ અનુસાર અનેક લોકોની હાલત ગંભીર છે. જનરલ બિપીન રાવત સહિત તમામ રેસ્કયુ કરવામાં આવેલ ઇજાગ્રસ્તોને સ્થાનિક વેલીંગ્ટન બેઝ હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવાયા છે. જ્યાં ડોકટરોની ટીમ તેઓનો ઇલાજ કરી રહેલ છે. ગંભીર ઘાયલો માટે એર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાંજે ૪.૩૦ કલાકે સત્તાવાર નિવેદન જાહેર કરવાના છે.

મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલીકોપ્ટરમાં બીપીન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત, તેમનો ડીફેન્સ સ્ટાફ કે જેમાં બ્રિગેડીયર એસ.એલ. લીડર, લેફ. જનરલ સામેલ હતા.

સીડીએસ બીપીન રાવત પોતાના પત્નિ સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવાનુ હતુ ત્યાં આર્મ્ડ ફોર્સીસ કોલેજ છે જ્યાં સીડીએસ રાવતનું લેકચર હતુ. તેઓ સુલુરથી કુન્નુર જઈ રહ્યા હતા. ત્યાંથી તેમને દિલ્હી માટે રવાના થવાનું પરંતુ ગાઢ જંગલમા આ અકસ્માત થયો હતો. જ્યાં દુર્ઘટના થઈ ત્યાં ગાઢ જંગલ છે અને આસપાસ ચારેતરફ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેતરફ આગની જ્વાળાઓ નજરે પડતી હતી. આર્મી અને વાયુદળની ટુકડીઓ પોલીસ સાથે રેસ્કયુ માટે પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે મૃતદેહો મળ્યા છે તે ૮૦ ટકા સળગી ગયેલા છે. એવામાં તેઓની ઓળખ થઈ શકી નથી. અત્યાર સુધીમાં ૩ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પીટલે લઈ જવામાં આવ્યા છે. આ હેલીકોપ્ટર એમઆઈ-૧૭ વી-૫ હતુ.

હાલ સીડીએસ બીપીન રાવત અને તેમના પત્નિની સ્થિતિ અંગે કોઈ અપડેટ સેના તરફથી આપવામાં આવી નથી. આ હેલીકોપ્ટરમાં કુલ ૧૪ લોકો હતા. બાકીના ૭ અંગે કોઈ માહિતી મળી નથી. આ અકસ્માત બાદ જે વિડીયો સામે આવ્યો છે તેમા હેલીકોપ્ટર સંપૂર્ણ રીતે સળગીના ખાખ થઈ ગયુ છે. એવામાં આ ભીષણ અકસ્માત તમામ આશંકાઓને જન્મ આપે છે.

Related posts

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો