June 8, 2026
અપરાધદેશરાજકારણ

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ આ હિંસક હુમલાને અંજામ આપીને સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુવેન્દુ અધિકારીના અંગત સચિવ ચંદ્રનાથ રથ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ગોળી તેમના માથામાં, બીજી છાતીમાં અને ત્રીજી પગમાં વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી આ હિંસાને કારણે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો કોણ હતા અને તેમની પાછળનો હેતુ શું હતો, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

પ્રાંતિજ ના આમોદરા ખાતે મહિલા તલાટી તથા મહિલા સરપંચ ના પતિ ૩૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

Ahmedabad Samay

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

Ahmedabad Samay

અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો