August 8, 2026
ગુજરાતઅપરાધ

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. સોમવારે સુરત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યાના ૨૨ દિવસના રેકોર્ડ સમયમાં ગુડ્ડુ યાદવને બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે સુરત કોર્ટે બળાત્કાર અને હત્યાના ગુનેગારને ફાંસીની સજાની જાહેરાત કરી છે.

સોમવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ થયાના ૨૧ દિવસની અંદર કોર્ટે ૩૫ વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટના વિશેષ ન્યાયાધીશ પીએસ કલાએ યાદવને દોષિત ઠેરવ્યો હતો. અગાઉ કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂરી કરી હતી, જેમાં ૪૨ સાક્ષી ચકાસવામાં આવ્યા હતા. સુરતના જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી છે અને ફરિયાદ પક્ષે ફાંસીની સજાની માંગ કરી છે.

ફાંસીની સજાની અમારી માંગને સમર્થન આપવા માટે કુલ ૩૧ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા છે. પોલીસે અગાઉ ગુનેગારની ધરપકડના સાત દિવસની અંદર ૧૫ નવેમ્બરે ૨૬૪ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માસુમ બાળકીની ૪ નવેમ્બરના રોજ અપહરણ, બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને ૭ નવેમ્બરના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બીજા દિવસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યાદવની ધરપકડ કરી હતી. પોલીસને જીએઆઈટી વિશ્લેષણ, ડીએનએ પ્રોફાઇલિંગ, વિસેરા પરીક્ષણ અને સીસીટીવી ફૂટેજ વિશ્લેષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરીક્ષણો ટૂંકા ગાળામાં કરવામાં આવ્યા હતા. પોલીસે સીઆરપીસી કલમ ૧૬૪ હેઠળ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન, પરીક્ષણ ઓળખ પરેડ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. એટલું જ નહીં, તપાસ દરમિયાન પોલીસે કડીઓ મેળવવા માટે વિસ્તારના ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને શરૂઆતમાં સગીરના અપહરણની જાણ કરવામાં આવી ત્યારે ૨૦૦થી વધુ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી.

તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

New up 01

Related posts

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો