May 9, 2026
દેશ

CDS બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન સહિત તમામ મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ CDS બિપિન રાવતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે,જનરલ રાવત દેશના ખૂબ સારા સૈનિક હતા. સેનાના આધુનિકરણમાં તેમનો મોટો ફાળો છે. જનરલ રાવતના નિધન પર દુખી છુ. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભુલે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાતમાં અને દુઃખી છુ. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ શૌર્ય અને બહાદુરીથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને કહ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે પણ ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું.

Related posts

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

બંગાળની ચૂંટણી માટે ભાજપે વધુ ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી,મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે

Ahmedabad Samay

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું, વધુ યુવા શક્તિ જોડાશે સેનામા

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો