August 13, 2026
ગુજરાતબિઝનેસ

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

દેશની સૌથી મોટી વીમા કંપની એવી ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. એલઆઇસીના શેર આજે બીએસઇ અને એનએસઇ પર લિસ્‍ટ થયા છે.

વીમા કંપનીએ રોકાણકારોને લિસ્‍ટીંગના પ્રથમ દિવસે જે નુકશાનીની ‘ભેટ’ આપી છે કંપનીનો શેર બીએસઇ પર રૂા.૮૧.૮૦ રૂા.ના ડિસ્‍કાઉન્‍ટ એટલે કે ૮.૬૨ ટકાના ઘટાડા સાથે રૂા.૮૬૭ પ્રતિ શેર લીસ્‍ટ થયા છે તો એનએસઇ દર એલઆઇસીનો શેર ૮.૧૧ ટકાના ઘટાડા સાથે રૂા.૮૭૨ પર લીસ્‍ટ થયો છે. આ સાથે એલઆઇસીનું માર્કેટ કેપ ૫.૫ લાખ કરોડ થઇ ગયુ છે અને તે રિલાયન્‍સ, ટીસીએસ, એચડીએફસી અને ઇન્‍ફોસીસ પછી દેશની ૫મી સૌથી મોટી કંપની બની છે.  એલઆઇસીના શેરની પ્રાઇઝ બેન્‍ડ રૂા.૯૪૯ રાખવામાં આવી હતી. આ ઇસ્‍યુ થકી સરકારે રૂા.૨૧૦૦૦ કરોડ એકઠા કર્યા હતા. ઇસ્‍યુ ૩ ગણો ભરાયો હતો અને જે ૯મી મેના રોજ બંધ થયો હતો. રિટેલ  ઇન્‍વેસ્‍ટરો અને પોલીસી હોલ્‍ડરોને રૂા.૪૫ તથા રૂા.૬૦નું ડીસ્‍કાઉન્‍ટ અપાયુ હતું.એલઆઇસીમાં પૈસા રોકાનારાનો મુડ ખરાબ થઇ ગયો છે. પ્રી માર્કેટમાં ૧૨ ટકા શેર તુટયો હતો.જે રીતે લિસ્‍ટીંગ થયું તેનાથી રોકાણકારોને શેરદીઠ ૮૨ રૂા.નું નુકશાન થયુ છે.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Ahmedabad Samay

શ્રી ગણેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સિટીઝન નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો