March 24, 2026
ધર્મગુજરાત

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે.

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

જે કોઈ શિવભક્ત ભક્તિભાવથી વિધિવિધાન પૂર્વક આ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને ભોલેનાથની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે, રોગ અને દોષ થી મુક્તિ મળે છે. સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.

ચાર પ્રહરની પુજા વિધિ માટેનો સમય

પ્રથમ પ્રહર : સાંજે ૦૬:૨૭ થી રાત્રે ૦૯:૨૯ સુધી

દ્વિતીય પ્રહર : રાત્રે ૦૯:૨૯ થી રાત્રે ૧૨:૩૧ સુધી

તૃતીય પ્રહર : રાત્રે ૧૨:૩૧ થી રાત્રે ૦૩:૩૨ સુધી

ચતુર્થ પ્રહર : રાત્રે ૦૩:૩૩ થી સવારે ૦૬:૩૪ સુધી

ચાર પ્રહરની પુજા વિધિ

ભગવાન ભોલેનાથ ની પ્રસન્નતા મેળવવા માટે મહાશિવરાત્રિના રોજ શિવલિંગ ઉપર દૂધ, દહી, ઘી, મધ,શેરડીનો રસ,ગંગાજળ, નાળિયેર ના પાણી, વગેરે નો ઉપયોગ કરીને અભિષેક કરવામાં આવે છે, બિલીપત્ર ચઢાવવામાં આવે છે. લોકો ભગવાન ને ભાંગ ની પ્રસાદી ચઢાવે છે. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ફળ, આરતી વગેરે અર્પણ કરીને ભગવાન શિવ શંકર ની આરાધના કરવામાં આવે છે અને “ૐ નમઃ શિવાય” , તેમજ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવામાં આવે છે.

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

આ તારીખો પર જન્મેલા લોકો તેમની ઇચ્છાના માસ્ટર હોય છે, તેમને રાહુના આશીર્વાદ મળે છે; અચાનક બને છે શ્રીમંત

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો