હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે.

નિમેષભાઈ જોષી
જે કોઈ શિવભક્ત ભક્તિભાવથી વિધિવિધાન પૂર્વક આ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને ભોલેનાથની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે, રોગ અને દોષ થી મુક્તિ મળે છે. સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.
ચાર પ્રહરની પુજા વિધિ માટેનો સમય
પ્રથમ પ્રહર : સાંજે ૦૬:૨૭ થી રાત્રે ૦૯:૨૯ સુધી
દ્વિતીય પ્રહર : રાત્રે ૦૯:૨૯ થી રાત્રે ૧૨:૩૧ સુધી
તૃતીય પ્રહર : રાત્રે ૧૨:૩૧ થી રાત્રે ૦૩:૩૨ સુધી
ચતુર્થ પ્રહર : રાત્રે ૦૩:૩૩ થી સવારે ૦૬:૩૪ સુધી
ચાર પ્રહરની પુજા વિધિ
ભગવાન ભોલેનાથ ની પ્રસન્નતા મેળવવા માટે મહાશિવરાત્રિના રોજ શિવલિંગ ઉપર દૂધ, દહી, ઘી, મધ,શેરડીનો રસ,ગંગાજળ, નાળિયેર ના પાણી, વગેરે નો ઉપયોગ કરીને અભિષેક કરવામાં આવે છે, બિલીપત્ર ચઢાવવામાં આવે છે. લોકો ભગવાન ને ભાંગ ની પ્રસાદી ચઢાવે છે. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ફળ, આરતી વગેરે અર્પણ કરીને ભગવાન શિવ શંકર ની આરાધના કરવામાં આવે છે અને “ૐ નમઃ શિવાય” , તેમજ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવામાં આવે છે.
https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg
શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩
