August 9, 2026
ગુજરાત

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગવાના લીધે આસપાસ આવેલી  3-4 દુકાનો પણ ઝપેટામાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 4  ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.


રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ગેસ સિલિડર પણ પડ્યા હોવાથી આગ લાગ્યા બાદ ભયંકર મોટો બ્લાસ્ટ પણ થયો હતો. જોત જોતાંમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતુ. સાથે આગને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભીડભાળ વાળો એરિયા હોવાથી ફાયર ટીમ પણ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે. આગ બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અવાજ દૂર સુધી સંભળાયો હતો અને રાહદારીઓ સહિત લોકો પણ ડરના માર્યા દોડાવા લાગ્યા હતા. પણ સદનસીબે હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી

વીડિયો જોવા અહીં ક્લિક કરો.

https://www.facebook.com/108480961722820/posts/131490079421908/

Related posts

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો