May 9, 2026
જીવનશૈલી

શું તમે પગમાં સોજાને કારણે બરાબર ચાલી શકતા નથી? આ તેલથી માલિશ કરો

શું તમે પગમાં સોજાને કારણે બરાબર ચાલી શકતા નથી? આ તેલથી માલિશ કરો

ઇજાને કારણે અથવા પગમાં અચાનક વળાંક આવવાથી નસો ખેંચાઈ જાય ત્યારે પગમાં સોજો આવવો સામાન્ય બાબત છે. સોજો આવ્યા પછી એટલો દુખાવો થાય છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત ગરમ પટ્ટી બાંધીને આ સમસ્યા દૂર કરી શકાય છે, પરંતુ આમ કરવાથી બળતરા પણ થઈ શકે છે.

સોજો આવે તો પગમાં આ તેલનું માલિસ કરો..

પગના સોજાને દવાઓ લેવાથી ઠીક કરી શકાય છે, પરંતુ જો તમને દવાઓથી એલર્જી હોય તો તમે ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. આવી સમસ્યાઓ માટે સરસવના તેલની માલિશને અસરકારક ઉપાય તરીકે વર્ણવવામાં આવ્યો છે. ચાલો જાણીએ કઈ કઈ 3 રીતો છે જેની મદદથી પગના સોજાને દૂર કરી શકાય છે.

1. હળદર સાથે સરસવનું તેલ
સરસવના તેલમાં હળદર મિક્સ કરો અને પછી સોજાવાળા ભાગો પર માલિશ કરો. હળદરમાં એન્ટિમાઈક્રોબાયલ અને એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી તે દર્દ પર સારી અસર કરે છે.

2. લવિંગ સાથે સરસવનું તેલ
પગના સોજાને દૂર કરવા માટે સરસવના તેલમાં લવિંગની થોડી કળીઓ નાખીને ધીમી આંચ પર ગરમ કરો. હવે આ તેલની મદદથી અસરગ્રસ્ત જગ્યા પર માલિશ કરો. આ માત્ર સોજો દૂર કરે છે, પરંતુ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.

3. આદુ સાથે સરસવનું તેલ
જો તમે એક વાસણમાં સરસવનું તેલ અને આદુ ગરમ કરો અને પછી સોજાવાળી જગ્યા પર માલિશ કરો. તેનાથી સમસ્યાઓથી છુટકારો મળશે. જો તમે ઈચ્છો તો મસાજની સાથે કાચું આદુ પણ ખાઈ શકો છો.

Related posts

મોડી રાત સુધી જાગવું માનસિક સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જો વહેલા ઊંઘશો તો થશે આ 5 ફાયદા

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

Ahmedabad Samay

બોલીવૂડના મહાનાયક થી લઇ ક્રિકેટના ભગવાન પણ આવે છે અહીં મોજડી ખરીદવા

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર ૦.૫ % છે

Ahmedabad Samay

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો