August 8, 2026
ધર્મ

મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. એટલા માટે મંગળવાર અને શનિવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા સાંજે કરવામાં આવે છે અને તેમના મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મંગળવારે તેમની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે પીપળાના પાનનો ખાસ ઉપાય અપનાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતા તમામ દુ:ખ દૂર થઈ શકે છે. આવો જાણીએ પીપળાના પાનનો મંગળવારના દિવસે કરાતો ઉપાય –

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના 11 પાન તોડવા. આ પછી, આ પાંદડાઓને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. ધ્યાન રાખો કે કોઈ પણ પાન તૂટવું કે કપાવું ન જોઈએ. આ પછી આ પાંદડા પર કુમકુમ અથવા ચંદનથી શ્રીરામ લખીને માળા બનાવો. ત્યારબાદ સાંજે હનુમાનજીને આ માળા ચઢાવો. આમ કરવાથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આ સિવાય પીપળાના પાન લઈને તેને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી પીપળાના પાન પર હળદર લગાવો અને મંગળવારે ઘરના મંદિરમાં મા લક્ષ્મીના ચિત્રની સામે રાખો. પછી આ પાનને આગામી મંગળવાર સુધી એટલે કે 7 દિવસ સુધી મા લક્ષ્મીના ચરણોમાં રાખો. 7 દિવસ પછી મંગળવારે આ પાન ઉપાડીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે પીપળાના 11 પાન લાવો અને તેના પર ચંદનથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાંદડા હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. આ પછી જ્યારે તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડને જળ ચઢાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે તમને સફળતા અપાવી શકે છે.

Related posts

કાલસર્પ દોષ અને સર્પદંશથી છુટકારો મેળવવા નાગ પંચમી પર કરો 8 નાગની પૂજા

Ahmedabad Samay

3 રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, 5 દિવસ પછી બુધાદિત્ય યોગ તમને ધનવાન બનાવશે!

Ahmedabad Samay

અમાસથી લઈને રથયાત્રા અને દેવશયની એકાદશી સુધી, અહીં જાણો જૂન મહિનાના ઉપવાસ અને તહેવારો

Ahmedabad Samay

આ રાશિના લોકો 69 દિવસ સુધી ખૂબ ખર્ચ કરશે પૈસા, શુભ ઘટનાઓ આપશે અદ્ભુત ખુશી!

Ahmedabad Samay

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો