May 10, 2026
ધર્મ

મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. એટલા માટે મંગળવાર અને શનિવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા સાંજે કરવામાં આવે છે અને તેમના મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મંગળવારે તેમની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે પીપળાના પાનનો ખાસ ઉપાય અપનાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતા તમામ દુ:ખ દૂર થઈ શકે છે. આવો જાણીએ પીપળાના પાનનો મંગળવારના દિવસે કરાતો ઉપાય –

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના 11 પાન તોડવા. આ પછી, આ પાંદડાઓને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. ધ્યાન રાખો કે કોઈ પણ પાન તૂટવું કે કપાવું ન જોઈએ. આ પછી આ પાંદડા પર કુમકુમ અથવા ચંદનથી શ્રીરામ લખીને માળા બનાવો. ત્યારબાદ સાંજે હનુમાનજીને આ માળા ચઢાવો. આમ કરવાથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આ સિવાય પીપળાના પાન લઈને તેને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી પીપળાના પાન પર હળદર લગાવો અને મંગળવારે ઘરના મંદિરમાં મા લક્ષ્મીના ચિત્રની સામે રાખો. પછી આ પાનને આગામી મંગળવાર સુધી એટલે કે 7 દિવસ સુધી મા લક્ષ્મીના ચરણોમાં રાખો. 7 દિવસ પછી મંગળવારે આ પાન ઉપાડીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે પીપળાના 11 પાન લાવો અને તેના પર ચંદનથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાંદડા હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. આ પછી જ્યારે તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડને જળ ચઢાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે તમને સફળતા અપાવી શકે છે.

Related posts

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

બરાબર એક મહિના પછી શરૂ થશે આ રાશિના શુભ દિવસો, ચંદ્રગ્રહણથી થશે ભાગ્ય!

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

માસિક રાશિફળ: આ લોકોને માર્ચમાં પડકારોનો સામનો કરવો પડશે, આર્થિક નુકસાનનું જોખમ પણ છે

Ahmedabad Samay

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો