March 24, 2026
તાજા સમાચાર

બે દિવસમાં થશે આવો ચમત્કાર, ગાયબ થઈ જશે બધાનો પડછાયો, જાણો કેવી રીતે

જ્યારે સૂર્યપ્રકાશ અથવા ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર હાજર દરેક વસ્તુ પર પડે છે, ત્યારે તેનો પડછાયો બને છે. પડછાયો અન્ય પ્રકાશ દ્વારા પણ રચાય છે. હવે એવો દિવસ આવવાનો છે જ્યારે અમુક વિસ્તારોમાં કોઈનો પડછાયો નહીં પડે. આ વર્ષે 18મી ઓગસ્ટે બેંગલુરુમાં આવું થવા જઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વર્ષે બેંગલુરુમાં બીજી વખત આવું બનવા જઈ રહ્યું છે, જ્યારે આ ખૂબ જ દુર્લભ ઘટના છે. આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં આ ઝીરો શેડો ડે થયો હતો અને તે દિવસે પણ લોકોનો પડછાયો ગાયબ થઈ ગયો હતો. લોકો તડકામાં બહાર આવ્યા અને પોતાની આંખે જોયું કે તેઓ ઉભા છે પણ જમીન પર તેમનો પડછાયો દેખાતો નથી.

બેંગલુરુમાં આ વખતે 18 ઓગસ્ટે બપોરે 12.24 વાગ્યે થશે. આ સમયે પૃથ્વી પર ઉભેલા વૃક્ષો, છોડ, ઈમારતો, ઈલેક્ટ્રીક થાંભલા કે માનવીઓનો કોઈ પડછાયો દેખાશે નહીં. જણાવી દઈએ કે કર્ક અને મકર રેખાની ઉષ્ણકટિબંધની વચ્ચે આવતા કેટલાક વિસ્તારોમાં, આ ઝીરો શેડો ડે વર્ષમાં બે વાર થાય છે અને આવી જ રીતે પડછાયો ગાયબ થઈ જાય છે.

કેવી રીતે થાય છે આ અજાયબી?

વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે ઈમારતનો પડછાયો બનવા માટે તેના પર પ્રકાશ પડવો જરૂરી છે. પ્રકાશ માટે એક શરત પણ છે કે તે ચોક્કસ ખૂણામાંથી આવવો જોઈએ જેથી તે પ્રકાશને તેની પૃષ્ઠભૂમિ સુધી પહોંચતા અટકાવે. હવે આ પ્રકાશ સીધો પડે તો પડછાયો ન બને. ઉદાહરણ તરીકે- દીવાનો પ્રકાશ તેની નીચે નથી જતો કારણ કે તેની ઉપર જ દીવાની જ્યોત બળી રહી હોય છે. જો આ દીવો ઝુકાવવામાં આવશે, તો પ્રકાશ તે વિસ્તારોમાં પણ પહોંચશે જ્યાં પહેલા અંધારું હતું.

એ જ રીતે ઝીરો શેડો ડેમાં સૂર્યપ્રકાશ સીધો વ્યક્તિ કે વસ્તુ પર પડે છે અને તેનો પડછાયો જમીન પર દેખાતો નથી. આ વર્ષે પણ 18 એપ્રિલે બેંગલુરુમાં આવું બન્યું હતું. હૈદરાબાદમાં 9મી મે અને 3જી ઓગસ્ટના રોજ ઝીરો શેડો ડે થયો હતો.

Related posts

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ કમાલ કરી, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના રહ્યા સુપડા સાપ

Ahmedabad Samay

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો