June 15, 2026
તાજા સમાચારદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી,આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે

પાકિસ્તાનની કમર તોડી નાખે તેવો ભારત સરકારની મોટો પ્રહાર કરવાની યોજના છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર પહેલાથી જ તણાવપૂર્ણ સ્થિતિ છે, જે આગામી મોટા સંઘર્ષનો સંકેત આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી છે અને હવે અંતિમ મહોર માટે આજે બુધવારે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે.
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે આજે દિલ્હીમાં દિવસભર ધમધમાટ રહેશે. વડાપ્રધાન મોદીના આગામી પગલાં પર સૌની નજર મંડાયેલી છે. આજે ચાર મોટી બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહેશે. આ બેઠકોમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ પણ ભાગ લેશે.
આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકોમાં સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની બેઠક યોજાશે. ત્યારબાદ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ની બેઠક થશે, જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પછી વડાપ્રધાન મોદીની હાજરીમાં આર્થિક બાબતોની સમિતિ (CCEA)ની બેઠક યોજાશે, જે ત્રીજી મોટી બેઠક હશે. આ ઉપરાંત, આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે, જે પહેલગામ હુમલા પછીની પ્રથમ બેઠક હશે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના વડાઓ (સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ) સામેલ થયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદને સખત ફટકો મારવો એ ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ છે. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોને ભારતની પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને તેના પાછળના કાવતરાખોરોને કડક સજા કરવામાં આવશે.

 

Related posts

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

Ahmedabad Samay

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી,ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત

Ahmedabad Samay

વિદેશ ભણવા જવાની જીદ છોડો, હવે વિદેશીઓ આવે છે ગુજરાતમાં અભ્યાસ કરવા

Ahmedabad Samay

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) દેશમાં પ્‍લાસ્‍ટિક (પોલિમર) નોટો દાખલ કરવાનું વિચાર

Ahmedabad Samay

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો