મુંબઈ: ભારતીય પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક પરંપરાને મોટા પડદા પર ભવ્ય સિનેમેટિક અંદાજમાં રજૂ કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ‘હનુમાન અંશ’ ફિલ્મ બાદ હવે ‘શ્રીમદ્ ભાગવત’ જેવા પવિત્ર ગ્રંથને કેન્દ્રમાં રાખીને વિશાળ લાઈવ-એક્શન ફિલ્મ સિરીઝ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
સાગર પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે શ્રીમદ્ ભાગવતની વિશાળ કથાને એક જ ફિલ્મમાં સમેટવાને બદલે તેને સાત અલગ-અલગ ભાગોની સિરીઝ તરીકે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
પ્રથમ ભાગ ‘વિષ્ણુરત’થી થશે શરૂઆત
આ મહાસિરીઝની શરૂઆત **‘શ્રીમદ્ ભાગવત પાર્ટ-1: વિષ્ણુરત’**થી થશે. મેકર્સે ફિલ્મનું ટીઝર પોસ્ટર પણ જાહેર કર્યું છે.
‘વિષ્ણુરત’ નામનો અર્થ ‘ભગવાન વિષ્ણુનું સંરક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ’ એવો થાય છે
