આપીને તેમને સમાજની મુખ્યધારામાં પુનઃસ્થાપિત કરવા અને પુનર્વસન માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવું આ પ્રોજેક્ટનો મહત્વનો હેતુ છે.
કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા ભોજન અને સંચાલનમાં તેમની ભાગીદારી તેમને આત્મનિર્ભર બનવાની તક આપે છે.
અમદાવાદના ફૂડ કલ્ચરમાં વધુ એક ખાસ ઓળખ
અમદાવાદના ફૂડ કલ્ચરમાં ‘જેલ ભજિયા હાઉસ’ પહેલેથી જ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. તેનું અગાઉનું ટર્નઓવર પણ નોંધપાત્ર રહ્યું છે. હવે હેરિટેજ લૂક, ‘ગાંધી થાળી’ અને સ્વાતંત્ર્ય સંગ્રામની યાદોને સમાવતા નવા ભવન સાથે આ સ્થળ અમદાવાદના સ્થાનિકો ઉપરાંત શહેરમાં આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
ભજિયાનો સ્વાદ, ગાંધી થાળીનું સાત્વિક ભોજન અને સાબરમતી જેલના ઐતિહાસિક વારસાની ઝાંખી—‘જેલ ભજિયા હાઉસ’નો આ નવો અવતાર અમદાવાદમાં એક અનોખો અનુભવ આપવા તૈયાર છે.
