May 8, 2026
Other

જાણો બંગાળના નવા નાયક વિશે

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતના અસલી હીરો અને હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સુવેન્દુ અધિકારી અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર છે.

15 ડિસેમ્બર 1970ના રોજ પૂર્વ મેદિનીપુરના કાંથીમાં જન્મેલા સુવેન્દુ અધિકારીનો ઉછેર જ રાજકારણની વચ્ચે થયો છે. તેમના પિતા શિશિર અધિકારી પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા છે અને ત્રણ વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. સુવેન્દુએ પોતાની કારકિર્દીની શરૂઆત 1989માં એક સામાન્ય વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી અને આજે તેઓ બંગાળના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે.

સુવેન્દુ અધિકારીના અંગત જીવનની વાત કરીએ તો 55 વર્ષીય સુવેન્દુ હજુ અપરિણીત છે અને તેમણે પોતાનું સમગ્ર જીવન જનસેવા અને રાજકારણને સમર્પિત કર્યું છે. રસપ્રદ વાત એ છે કે તેમનો પરિવાર રાજકીય રીતે વિવિધ પક્ષોમાં વહેંચાયેલો છે. તેમના એક ભાઈ સૌમેન્દુ અધિકારી ભાજપમાં સક્રિય છે, જ્યારે બીજા ભાઈ દિવ્યેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ ગણાતા સુવેન્દુએ સાથ છોડ્યા બાદ મમતાને તેમના જ ગઢ ભવાનીપુરમાં હરાવીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.

ચૂંટણી પંચમાં રજૂ કરેલી એફિડેવિટ (સોગંદનામું) મુજબ, કરોડોના બજેટવાળા રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સુવેન્દુ પોતે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. તેમની પાસે કુલ અંદાજે 85.87 લાખ રૂપિયાની જ સંપત્તિ છે. આશ્ચર્યની વાત એ છે કે તેમની પાસે પોતાની કોઈ અંગત કાર નથી અને સોના-ચાંદીના ઝવેરાતની પણ કોઈ વિગત સોગંદનામામાં નથી. તેમની પાસે રોકડ તરીકે માત્ર 12,000 રૂપિયા હોવાનું જાહેર કરાયું છે. કોઈ પણ પ્રકારના દેવા વગરના આ નેતા હવે ‘સોનાર બાંગ્લા’ના નિર્માણ માટે સજ્જ થયા છે. આવતીકાલે રવીન્દ્ર જયંતીના પવિત્ર દિવસે જ્યારે તેઓ શપથ લેશે, ત્યારે બંગાળના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાશે.

સુવેન્દુ અધિકારી પાસેથી ભાજપને આશા છે કે તેઓ માત્ર બંગાળ જ નહીં પણ સમગ્ર પૂર્વોત્તર ભારતમાં પક્ષને વધુ મજબૂત બનાવશે. તેમની આ નવી ઇનિંગ બંગાળના વિકાસને નવી દિશા આપશે કે કેમ તેના પર સમગ્ર દેશની નજર છે.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

ગીર સોમનાથમાં ભાજપનો વિજય

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો