May 15, 2026
જીવનશૈલીતાજા સમાચાર

મોબાઈલ ફોન ના વપરાશથી બાળકો પર પડી રહી છે ખરાબ અસર

ઓનલાઇન શોપિંગ કરવાની હોય કે બાળકોનો અભ્યાસ ઇન્ટરનેટ વિના શકતો નથી પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગના કારણે સામાજીક અને પારીવારિક સમસ્યાઓ પણ ઉભી થઇ છે એવું એક સર્વેમાં જાણવા મળે છે. આમ તો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એક બીજાને જોડવાનું કામ કરે છે પરંતુ હકિકત એ છે કે આ જ ફોનના લીધે પરીવારના લોકો એક બીજાથી દૂર થઇ રહયા છે. સોશિયલ લાઇફ કટ થઇ રહી છે.


એક સમયે લોકો દિવાનખંડમાં બેસીને સુખ દૂખની વાતો કરીને સૂઇ જતા હતા તેના સ્થાને સ્માર્ટફોનમાં વ્યસ્ત જણાય છે. દુનિયામાં ૮૬ ટકા સ્માર્ટફોન ધારકોને  પથારીમાં ફોન સાથે રાખે છે અને સવારે ઉઠે ત્યારે પ્રથમ મોબાઇલ ફોન સ્ક્રોલ કરવાનું કરે છે. સ્માર્ટફોનના લીધે બાળકો માતા પિતાથી દૂર થઇ રહયા છે એવું સાઇબર મીડિયાના રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સ્માર્ટફોનની વિપરીત અસર માતા પિતા કરતા પણ બાળકો પર વધારે થાય છે. સર્વેની કેટલીક બાબતો નોંધવા જેવી છે. ૬૬ ટકા લોકોનું માનવું છે કે જે સમય બાળકો સાથે ગુજારવાનો હોય તેના સ્થાને ફોન પર વ્યસ્ત રહેવાય છે. ૭૪ ટકાનું માનવું હતું કે સ્માર્ટફોનના લીધે સંબંધો ખરાબ થાય છે એટલું જ નહી બાળકો પર ધ્યાન કેન્દ્રીત થઇ શકતું નથી.

એટલું જ નહી મોટા ભાગના માતા પિતાએ કબૂલ્યું કે સ્માર્ટફોનના વપરાશ દરમિયાન બાળકો પુછે ત્યારે ચીડ થાય છે. ૯૦ ટકા માતા પિતાનું એમ માનવું હતું કે સ્માર્ટફોનના લીધે બાળકોમાં આક્રમકતા વધતી જાય છે. કોરોના મહામારીના પીક દરમિયાન રોજ ૬.૫ કલાક જેટલો સમય સરેરાશ ભારતીયોએ ફોન પર વિતાવ્યો હતો. જે સામાન્ય કરતા ૩૨ ટકા વધારે હતો.જો કે આટલી નકારાત્મક બાજુઓ છતાં સ્માર્ટફોન પ્રિયજનો સાથે કનેકટ રહેવામાં અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ હોવાનું પણ વધુ લોકો માનતા હતા. ૯૪ ટકા લોકોએ તો મોબાઇલને શરીરનો એક ભાગ ગણાવીને તેનાથી અલગ થઇ શકે તેમ નથી એમ કબૂલ્યું હતું.

લોકો જમતી વખતે,લિવિંગ રૂમ અને પરીવાર સાથે બેઠા હોય ત્યારે પણ મોબાઇલ સ્ક્રોલ કરતા રહે છે.

New up 01

Related posts

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીત્યું

Ahmedabad Samay

ભાગ્ય બદલવા અને સફળતા મેળવવા માટે મનની ચંચળતાને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો