હ્રદય દ્રવી ઉઠે તેવા શબ્દ બાણથી ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. મોડાસા તાલુકાના વણિયાદ-કોકાપુર પંથકમાં ખેડૂતોએ મુખ્યમંત્રીને પણ સવાલો કર્યા છે કે, અધિકારીઓ ક્યારે મુલાકાતે આવશે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ન આવી શકે તો તેમના કર્મચારીઓને મુલાકાતે મોકલે અને સર્વે કરાવે. ખેડૂતોએ એમપણ જણાવ્યું કે, ખેડૂતો તો ઠીક શહેરોમાં રહેતા લોકો શું ખાશે ? એટલું જ નહીં મંત્રીઓ પણ શું ખાસે તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા હતા. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો વ્યતિત થયા છે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને સવાલો કરતા ખેડૂતોએ કહ્યું કે, હવે બધુ વિનાશ થવાને આરે આવી ગયું છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મોડાસા તાલુકાના વણિયાદ સહિતના વિસ્તારોમાં અંદાજે 70 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જોકે માવઠાને કારણે તેઓનો પાક બગડી ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શુક્રવાર મોડી સાંજથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે, જેની અસર સતત બીજા દિવસે શનિવારે પણ જોવા મળ્યું હતું. માવઠા સાથે કરા પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતો ખૂબ જ વ્યતિત થયા છે અને સર્વે કરાવવાની પણ માંગ કરી છે.
