June 27, 2026
રમતગમત

WTC Final: છેલ્લા 23 વર્ષમાં ઇગ્લેન્ડમાં પાંચ ભારતીય ઓપનર્સે ફટકારી સદી, શું શુભમન રચી શકશે ઇતિહાસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ભારતે અહીં રમાયેલી 14 ટેસ્ટમાંથી માત્ર બે જ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાત ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં 38 ટેસ્ટ રમ્યું છે અને ટીમ સાતમાં જીત મેળવવામાં સફળ રહી છે. કાંગારૂઓને 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 14 મેચ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ભલે સારો ન હોય, પરંતુ ભારતીય ઓપનરોને આ મેદાન ખૂબ જ ગમે છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 23 વર્ષમાં ભારતે ઓવલમાં કુલ છ સદી ફટકારી છે. આમાંથી ત્રણ સદી ભારતીય બેટ્સમેનોએ ઓપનિંગ વખતે ફટકારી છે. કેએલ રાહુલે આ મેદાન પર 2018માં, રાહુલ દ્રવિડે 2011માં અને રોહિત શર્માએ 2021માં સદી ફટકારી હતી. આ સિવાય દ્રવિડે મિડલ ઓર્ડરમાં રમતા સદી ફટકારી હતી, જ્યારે અનિલ કુંબલે અને રિષભ પંતે પણ ઓવલમાં સદી ફટકારી છે. રાહુલ ઈજાના કારણે ટીમનો ભાગ નથી, જ્યારે દ્રવિડ મુખ્ય કોચ તરીકે ટીમ સાથે હાજર રહેશે. આવી સ્થિતિમાં રોહિતની સાથે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને પણ આ ઐતિહાસિક યાદીમાં પોતાનું નામ ઉમેરવાની તક મળશે.

છેલ્લા 23 વર્ષમાં ઈંગ્લેન્ડમાં સદી ફટકારનારા ઓપનર બેટ્સમેનોની વાત કરીએ તો માત્ર પાંચ ભારતીય જ આવું કરી શક્યા છે. જેમાં કેએલ રાહુલ અને રાહુલ દ્રવિડે બે વખત સદી ફટકારી છે. આ સિવાય વીરેન્દ્ર સેહવાગ, મુરલી વિજય અને રોહિત શર્માએ પણ સદી ફટકારી છે. છેલ્લી વખત કેએલ રાહુલ અને રોહિત શર્માએ 2021માં ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. જો કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા ગયેલી ટીમમાં માત્ર રોહિત અને શુભમન જ ઓપનિંગ કરતા જોવા મળશે. શુભમન માટે આ વર્ષ શાનદાર રહ્યું છે, આવી સ્થિતિમાં તે પોતાનું ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને બીજી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવશે.

વર્ષ 2000 પછી ઈંગ્લેન્ડમાં સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રાહુલ દ્રવિડે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ છ સદી ફટકારી છે. જ્યારે, વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલે બે-બે સદી, અજીત અગરકર, સૌરવ ગાંગુલી, રવિન્દ્ર જાડેજા, અનિલ કુંબલે, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, સચિન તેંડુલકર અને મુરલી વિજયે એક-એક સદી ફટકારી છે. મૂકો આ વખતે પણ WTC ખિતાબ મેળવવાની જવાબદારી વિરાટ, પૂજારા, રહાણે અને રોહિત જેવા અનુભવી બેટ્સમેનથી સજેલી ભારતીય ટીમ પર રહેશે.

Related posts

પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે.

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈને 20મી ઓવરમાં 5 રનની જરૂર હતી, વાંચો મેચની છેલ્લા બોલ સુધીની રોમાંચક વાતો

admin

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

ભારતે ઇંગ્લેન્ડ ને ૦૮ રને હરાવ્યું,કાલે ટી-૨૦ ની સિરીઝ કબજે કરવા બન્ને ટિમ ઉતરશે મેદાનમાં

Ahmedabad Samay

આજની ભારત પાકિસ્તાન મેચ ઘરે બેઠા ફ્રી માં મેચનો આનંદ લેવા માંગો છો ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો