July 4, 2026
ગુજરાતધર્મ

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ બપોરે 12 વાગ્યે ડભોડિયા હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને દાદાના જન્મજયંતિ નિમિતે 151 કિલોની કેક કાપવામાં આવી હતી , જેમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા,

હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિર પ્રશાસન દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદનો લાભ અંદાજે 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લેશે તેવી શક્યતા છે. આ માટે ખૂબ જ મોટા પાયે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર કરવામાં આવ્યા છે.

Related posts

આજનો દિવસ આ રાશિના લોકો માટે રહેશે મુશ્કેલ તો કોઈને મળશે લાભ અને સફળતા

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

અમદાવાદ: H3N2 વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો