May 18, 2026
ગુજરાતધર્મ

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ બપોરે 12 વાગ્યે ડભોડિયા હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને દાદાના જન્મજયંતિ નિમિતે 151 કિલોની કેક કાપવામાં આવી હતી , જેમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા,

હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિર પ્રશાસન દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસાદનો લાભ અંદાજે 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ લેશે તેવી શક્યતા છે. આ માટે ખૂબ જ મોટા પાયે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1500 કિલો લોટના લાડુ, 1800 કિલો લોટની પૂરી, 1800 કિલો બટાકાનું શાક, 600 કિલો ચણાનું શાક, 500 કિલો તુવેરની દાળ અને 300 કિલો ચોખાના ભાત તૈયાર કરવામાં આવ્યા છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત, માસ્કન પહેરવા પર હવે પોલીસ દંડ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો