June 24, 2026
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે

Related posts

કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું

Ahmedabad Samay

હિન્દી ચીની ભાઇ-ભાઇ, ટ્રમ્પ તેરીફ વોરમાં ચીનને થશે ફાયદો, ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ શકે છે અનેક એપ્લિકેશન થશે અનબ્લોક

Ahmedabad Samay

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં રહેતા રાજવીર મહેન્દ્રભાઇ તામનકરનું ડિસ્ટ્રીક વનડે મેચમાં થયું સિલેક્શન

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટું રાજકીય ઉલટફેર,બંગાળમાં લહેરાશે ભગવો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો