February 5, 2026
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે

Related posts

દિલ્‍હી પોલીસે વિવિધ રાજ્‍યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ

Ahmedabad Samay

મંગળવારના રોજ જ્યારે શેર બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરના ભાવમાં મોટી હિલચાલ જોવા મળી શકશે

Ahmedabad Samay

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ‘ડેડી’ ગવળી 17 વર્ષના લાંબા જેલવાસ પછી આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા

Ahmedabad Samay

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો