May 9, 2026
દેશરમતગમત

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચરમાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે

Related posts

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

આજ રોજ મહાન કલાકાર શ્રી રાજેશ ખન્ના સાહબ નો જન્મ

Ahmedabad Samay

ટોકયો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સફર ૨૪ જુલાઈથી શરૂ થશે

Ahmedabad Samay

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો