March 25, 2026
ગુજરાત

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર શ્રી અરવિંદ ત્રિવેદીનું ૦૫ ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. મહત્વનું છે કે શ્રી અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. તેમણે સેંકડો લોકપ્રિય નાટકો અને ફિલ્મો તેમ જ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું.

શ્રી અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર તેમના નજીકના સંબંધીએ સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

શ્રી અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.

૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં.

Related posts

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો