બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું.આ ઘટના બાદ સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ છે. હિંદુ સમુદાયે ભારતની બાજુમાં આવેલા શહેરોમાં જબરજસ્ત દેખાવો કર્યા છે.
મંદિરોને અપવિત્ર કરવાની આ દ્યટના લાલમોનીહર હાટનાં હાતીબંદ વિસ્તારના ગેન્દુકુરી ગામમાં દ્યટી છે. અહીં ત્રણ હિંદુ મંદિર અને એક દ્યરની બહાર શુક્રવારે સવારે પોલીથીન બેગમાં ગૌમાંસ લાત્કાયેલું જોવા મળ્યું . આ બાદ, હિંદુ સમાજે ધરના -દેખાવો શરુ કરી દીધા. પોલીસે આ કેસમાં ચાર ફરિયાદ દાખલ કરી છે.

