February 5, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે આ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ છેતરપિંડી નહીં ચલાવી લેવાય.

ભાવનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પાલીતાણામાં થયેલી લવ જેહાદની બે ઘટનાઓને લઈને આકરાપાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યુ કે પ્રેમ કરવો ગુનો નથી પણ વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી, ખોટા કાગળો બનાવી યુવતીને ભોળવી લે તે નહીં ચલાવાય. પરંતુ, આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે.

વિધર્મી લોકો બહુ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે. વિધર્મી નામ બદલી ગુજરાતની ભોળી દીકરીઓને ફસાવી રહ્યા છે. લવ જેહાદના કેસમાં ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપશે નહીં. સાથે જ તેમણે માતા પિતાને પણ અપીલ કે પોતાના સંતાનોનું ધ્યાન રાખે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

New up 01

Related posts

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો