August 10, 2026
ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં

રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક તથા સુગમ બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને અત્યંત મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેવા સ્પષ્ટ હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા અને મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

નવા આદેશો મુજબ, પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન અધિકારીઓએ માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની રૂબરૂ સહી લેવાની પણ કોઈ જરૂર રહેશે નહીં.

 

જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આવી વિશિષ્ટ પરિસ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા રહેતી નથી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ તમામ સૂચનાઓનું કડકપણે પાલન કરવા હુકમ કર્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી અને સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય તથા કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.

Related posts

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો