August 5, 2026
ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં

રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક તથા સુગમ બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને અત્યંત મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેવા સ્પષ્ટ હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા અને મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

નવા આદેશો મુજબ, પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન અધિકારીઓએ માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની રૂબરૂ સહી લેવાની પણ કોઈ જરૂર રહેશે નહીં.

 

જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આવી વિશિષ્ટ પરિસ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા રહેતી નથી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ તમામ સૂચનાઓનું કડકપણે પાલન કરવા હુકમ કર્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી અને સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય તથા કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.

Related posts

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત, માસ્કન પહેરવા પર હવે પોલીસ દંડ કરશે

Ahmedabad Samay

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો