May 8, 2026
તાજા સમાચારદેશ

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે આ વર્ષનો ગણતંત્ર દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે પીએમએ દેશવાસીઓને એક થવાની અપીલ પણ કરી હતી.

ટ્વીટ કરીને પીએમએ પ્રજાસત્તાક દિવસ પર લોકોને અભિનંદન સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશે. પીએમએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું જેમણે આઝાદી મેળવવા, દેશને મજબૂત કરવા અને તેની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

Related posts

દેશમાં સર્જાઈ કોલસાની અછત,ભારતમાં ચાર દિવસ બાદ વીજળી ગુલ થવાના એંધાણ

Ahmedabad Samay

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂત સંગઠન, સોનીપતમાં 4 જૂને મહાપંચાયત, ઈન્ડિયા ગેટ પર વધારવામાં આવી સુરક્ષા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો