March 23, 2026
તાજા સમાચારદેશ

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે આ વર્ષનો ગણતંત્ર દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે પીએમએ દેશવાસીઓને એક થવાની અપીલ પણ કરી હતી.

ટ્વીટ કરીને પીએમએ પ્રજાસત્તાક દિવસ પર લોકોને અભિનંદન સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશે. પીએમએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું જેમણે આઝાદી મેળવવા, દેશને મજબૂત કરવા અને તેની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

Related posts

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

Ahmedabad Samay

BSNL એ ચીન સાથેના સાધનોનું ટેન્ડર અંતે રદ્દ કર્યુ

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો