March 23, 2026
તાજા સમાચારદેશ

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે આ વર્ષનો ગણતંત્ર દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે પીએમએ દેશવાસીઓને એક થવાની અપીલ પણ કરી હતી.

ટ્વીટ કરીને પીએમએ પ્રજાસત્તાક દિવસ પર લોકોને અભિનંદન સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશે. પીએમએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું જેમણે આઝાદી મેળવવા, દેશને મજબૂત કરવા અને તેની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

Related posts

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો