September 11, 2026
ગુજરાત

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં 10 મહિનામાં 3913 રખડતા ઢોર પકડાયા છે. અમદાવાદમાં કરેલી કામગિરી અંગે એએમસી વતી ડીવાયએમસીએ હાઈકોર્ટેમાં સોગંદનામું રજૂ કર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે તંત્ર સામે લાલ આંખ કરાતા રખડતા ઢોર પકડવાની કામગિરી કોર્પોરેશનચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ કામગિરી અત્યારે પણ ચાલી રહી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટની અંદર અત્યાર સુધીમાં કોર્ટના આદેશ બાદ શું કામગિરી કરવામાં આવી તેને લઈને સોગંદનામું રજૂ કરાયું હતું.  ગેરકાયદેસર દબાણ, રખડતા ઢોર, પાર્કિંગ જેવી બાબતો સામે કરેલી કાર્યવાહીનું સોગંદનામું એએમસી વતી ડીવાયએમસીએ હાઈકોર્ટેમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અમદાવાદમાં 10 મહિનામાં 3913 રખડતા ઢોર પકડાયા છે. આ ઉપરાંત અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે.

695 આરએફઆઈડી ટેગ લગાવાયા
1 ડીસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી કામગિરી કરવામાં આવી છે. રખડતા ઢોર મામલે 27 લાખ 77 દંડ વસુલવામાં આવ્યો છે. રખડતા ઢોર મામલે 151 એફઆઈઆર આ સમય ગાળા દરમિયાન થઈ છે તેમ રજૂઆત કરવામાં આવીટ હતી. રખડતા ઢોર મામલે 695 આરએફઆઈડી ટેગ લગાવાયા છે.

દબાણ, પાર્કિંગ બાબતે કાર્યવાહીનું સોગંદનામું 
હાઈકોર્ટમાં ગેરકાયદેસર દબાણ, પાર્કિંગ બાબતે કાર્યવાહીનું સોગંદનામું પણ રજૂ કરાયું હતું. જેમાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ મામલે એએમસીએ 7 ઝોનમાં કાર્યવાહી કરી હતી તેને લઈને પણ હાઈકોર્ટની અંદર સોગંદનામાંરુપે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

7 ઝોનમાં કુલ 1154 ગેરકાયદેસર લારી ગલ્લા હટાવાયા 
7 ઝોનમાં કુલ 1154 ગેરકાયદેસર લારી ગલ્લા હટાવાયા છે. તૂટેલા રોડની મરામત મામલે કરેલી કામગિરીનો રીપોર્ટ કોર્ટ તરફથી રજૂ કરાયો છે. અમદાવાદમાં ફેરીયાઓ સામે પણ એએમસીએ જે કાર્યવાહી કરી તેનો પણ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એએમસીએ 62100 ફેરિયા આઈડેન્ટીફાઈ કર્યા છે. જેમાં કેટલાક દબાણો હટાવવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદ: શાળાને 99 વર્ષ માટે કાયમી લીઝ પર જોઈએ છે રમતનું મેદાન

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો