March 10, 2026
ગુજરાત

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

દિલ્‍હીના પ્રગતિ મેદાન સ્‍થિત કન્‍વેન્‍શન સેન્‍ટરમાં કેન્‍દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. લગભગ ૪ કલાક સુધી ચાલેલી આ બેઠકની અધ્‍યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી હતી. જેમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને અન્‍ય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, મંત્રી પરિષદની બેઠકમાં નાણા સચિવ દ્વારા એક પ્રેઝન્‍ટેશન પણ કરવામાં આવ્‍યું હતું, જેમાં તેમણે જણાવ્‍યું હતું કે કેવી રીતે ભારત ૨૦૪૭ સુધીમાં એક મોટી આર્થિક શક્‍તિ તરીકે ઉભરી આવશે.

મંત્રી પરિષદની બેઠકમાં, આગામી ૨૫ વર્ષમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રે ભારતની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને વધુ નીતિગત પહેલ કેવી રીતે કરવી જોઈએ તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ મંત્રીઓ પાસેથી તેમના કામની વિગતો માંગવામાં આવી હતી. બેઠકમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સંબંધિત મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘અમે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસને અર્થવ્‍યવસ્‍થાના પ્રેરક બળ તરીકે માનીએ છીએ. આ માર્ગે ચાલીને ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરશે.

PM મોદીએ કહ્યું કે ૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો. આગામી ૨૫ વર્ષમાં એટલે કે ૨૦૪૭ સુધી ઘણું બધું બદલાશે. શિક્ષિત લોકોની નવી ફોજ તૈયાર થશે. ભારત દરેક ક્ષેત્રમાં નવી ટેકનોલોજીથી સજ્જ થશે.

પીએમ મોદીએ લગભગ ૩૫ મિનિટ સુધી મંત્રી પરિષદની બેઠકને સંબોધિત કરી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ દરમિયાન તેમણે મંત્રીઓને ચૂંટણીના વર્ષમાં સખત મહેનત કરવાની સલાહ આપી હતી. પીએમએ કહ્યું કે આગામી નવ મહિના સુધી જનતાની વચ્‍ચે જાઓ અને લોકોને સરકારના નવ વર્ષના કામ વિશે જણાવો. મંત્રીઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે સરકારની નીતિઓ અને નિર્ણયોનો યોગ્‍ય રીતે અમલ કરવો ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાશે.

બેઠકમાં અનેક વિભાગોના સચિવોએ તેમના વિભાગની કામગીરી અંગે પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. વિદેશ સચિવે પીએમ નરેન્‍દ્ર મોદીના વિદેશ પ્રવાસ અંગે પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. સંરક્ષણ સચિવે સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત મહત્‍વપૂર્ણ બાબતો પર મંત્રીઓ સમક્ષ તથ્‍યો મૂક્‍યા. રેલ્‍વે સચિવે રેલ્‍વે મંત્રાલય પર તથ્‍યો રજૂ કર્યા. માર્ગ પરિવહન મંત્રાલયના સચિવે પણ પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. આ તમામ મંત્રાલયોએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે રોડ મેપ પર પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું

Related posts

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો