March 23, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

અમદાવાદમાં પોલીસના ખભે થી ખભે મળીને રાત દિવસ કામ કરનાર એવા હોમગાર્ડના જવાનો ની કમાન સાંભળનાર કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલની અમદાવાદ સમય દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી,જેમાં જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલજી એ કોરોના થી બચવા માટે સૂચન કર્યું હતું.

જબ્બરસિંહ શેખાવતએ જણાવ્યું હતું કે કોરોના થી બચવામાટે માસ્કનો ફરજીયાત પણે ઘરે થી બહાર નીકળી વખતે કરવો જોઈએ, પ્રધાનમંત્રીજી અનુસાર બે ગજનો અંતર રાખવો જોઇએ, બહાર કોઇ જગ્યાએ હાથ લગાવ્યા બાદ સેનેટાઇઝર નો ઉપયોગ કરવો જોઈએ, આપણે જેટલી સામાજીક દુરી જાળવીશું એટલુંજ આપણે કોરોના થી બચીશું અને જો આપણે બચીશું તો પરિવાર પણ સુરક્ષિત રહેશે,
હાલ કોરોના વેક્સીન માટે જે કાર્યક્રમ ચાલી રહ્યું છે તેમ આ શહેરના નાગરિકોને અપીલ છે કે આપણા ઘરે આવતા સરકારી કર્મચારીઓ ને સાથ સહકાર આપજો.

જ્યારે અશોક પટેલે જણાવ્યું હતું કે આ જે વૈશ્વિક મહામારી આવી હતી તેમાં શરૂઆતના પહેલા ૦૬ માસ હોમગાર્ડના કર્મચારીઓ મદદગાર થયા હતા લોકોને કોરોના થી બચવા માટે શુ કરવું કેવીરીતે આનાથી બચાશે તેના વિશે માહિતગાર કર્યા હતા, હોમગાર્ડના દરેક જવાને કોરોનામાં પણ ફરજ બજાવી હતી જેને હું ગર્વ અનુભવું છુ તેમ જણાવ્યું હતું.
કોરોના નો હવે અંત આવવાની આરે છે પરંતુ વિશ્વના નિષ્ણાત અનુસાર કોરોના હજુ ૦૬- ૦૮ મહિના સુધી રહેશે માટે હજુ આપણે સાવચેતી રાખવી જોઈએ, જો આપણે સુરક્ષિત રહીશું તો આપણું ઘર પરિવાર, શહેર અને દેશ સુરક્ષિત રહેશે
આપડે આપણી ફરજ અને જવાબદારી સમજી સાથ સહકાર આપવો જોઈએ, કોરોના વેક્સીન જ્યારે પણ આપવામાં આવે ત્યારે સાથ સહકાર આપવો જોઈએ.

Related posts

વરસાદના બે રાઉન્ડ બાકી,7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વરસાદના છાંટા પડવાની શક્યતા

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો