February 6, 2026
રાજકારણ

‘શાસક પક્ષ માટે ચીયરલિડર ન બની શકે અધ્યક્ષ’, જગદીપ ધનખડ પર ભડકી કોંગ્રેસ?

ઉપાધ્યક્ષ જગદીપ ધનખર તાજેતરમાં વિપક્ષના નિશાના પર આવી છે. તેમણે ગુરુવારે, બ્રિટનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ પર સવાલો ઉઠાવ્યા, જેને લીધે વિપક્ષોએ તેમની આકરી ટીકા કરી. કોંગ્રેસે કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ એક અમ્પાયર છે અને તે કોઈપણ શાસક પક્ષ માટે ચીયરલીડર ન હોઈ શકે.

ગુરુવારે, ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે વિદેશી ધરતી પરથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે, તે એક રીતે જૂઠાણું ફેલાવવા જેવું છે. આ દેશનું અપમાન છે. તેમના આ નિવેદન પર કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

‘ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અમ્પાયર હોય છે’

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, ‘કેટલાક પદ એવા હોય છે જેમાં આપણે પૂર્વગ્રહથી દૂર રહેવાનું હોય છે. આપણે આપણી પાર્ટીની વફાદારીને બાજુ પર રાખવાની જરૂર હોય છે. આપણે દરેક પ્રચારથી પોતાને દૂર રાખવાના હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અમ્પાયર હોય છે, તેઓ કોઈપણ પક્ષ માટે ચીયરલીડર ન હોઈ શકે.

જયરામ રમેશે કહ્યું, ‘ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય એક એવું કાર્યાલય છે, જેને બંધારણ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની વધારાની જવાબદારી આપે છે. તે સૌથી મહત્ત્વપૂર્ણ છે. રાહુલ ગાંધી પર ઉપરાષ્ટ્રપતિનું નિવેદન આશ્ચર્યજનક છે. જગદીપ ધનખર એક એવી સરકારના બચાવમાં આવ્યા જે ખોટું હતું.

કોંગ્રેસે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ વિદેશમાં એવું કંઈ કહ્યું નથી જે અહીં ઘણી વખત નથી કહ્યું. તેમનું નિવેદન તથ્યો પર આધારિત છે અને જમીની વાસ્તવિકતા જણાવે છે.’ કોંગ્રેસના નેતાએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં, વિરોધ પક્ષો સાથે જોડાયેલા 12 થી વધુ સંસદ સભ્યોએ સંસદમાં તેમના અવાજને દબાવવાનો વિરોધ કરવા માટે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે.

Related posts

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો