August 8, 2026
રાજકારણ

‘શાસક પક્ષ માટે ચીયરલિડર ન બની શકે અધ્યક્ષ’, જગદીપ ધનખડ પર ભડકી કોંગ્રેસ?

ઉપાધ્યક્ષ જગદીપ ધનખર તાજેતરમાં વિપક્ષના નિશાના પર આવી છે. તેમણે ગુરુવારે, બ્રિટનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ પર સવાલો ઉઠાવ્યા, જેને લીધે વિપક્ષોએ તેમની આકરી ટીકા કરી. કોંગ્રેસે કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ એક અમ્પાયર છે અને તે કોઈપણ શાસક પક્ષ માટે ચીયરલીડર ન હોઈ શકે.

ગુરુવારે, ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે વિદેશી ધરતી પરથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે, તે એક રીતે જૂઠાણું ફેલાવવા જેવું છે. આ દેશનું અપમાન છે. તેમના આ નિવેદન પર કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

‘ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અમ્પાયર હોય છે’

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, ‘કેટલાક પદ એવા હોય છે જેમાં આપણે પૂર્વગ્રહથી દૂર રહેવાનું હોય છે. આપણે આપણી પાર્ટીની વફાદારીને બાજુ પર રાખવાની જરૂર હોય છે. આપણે દરેક પ્રચારથી પોતાને દૂર રાખવાના હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અમ્પાયર હોય છે, તેઓ કોઈપણ પક્ષ માટે ચીયરલીડર ન હોઈ શકે.

જયરામ રમેશે કહ્યું, ‘ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય એક એવું કાર્યાલય છે, જેને બંધારણ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની વધારાની જવાબદારી આપે છે. તે સૌથી મહત્ત્વપૂર્ણ છે. રાહુલ ગાંધી પર ઉપરાષ્ટ્રપતિનું નિવેદન આશ્ચર્યજનક છે. જગદીપ ધનખર એક એવી સરકારના બચાવમાં આવ્યા જે ખોટું હતું.

કોંગ્રેસે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ વિદેશમાં એવું કંઈ કહ્યું નથી જે અહીં ઘણી વખત નથી કહ્યું. તેમનું નિવેદન તથ્યો પર આધારિત છે અને જમીની વાસ્તવિકતા જણાવે છે.’ કોંગ્રેસના નેતાએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં, વિરોધ પક્ષો સાથે જોડાયેલા 12 થી વધુ સંસદ સભ્યોએ સંસદમાં તેમના અવાજને દબાવવાનો વિરોધ કરવા માટે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે.

Related posts

સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલતા અમિત ચાવડાએ કર્યુ ટ્વિટ

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

મણિપુર કેસ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- આ ઘટના શરમજનક

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટું રાજકીય ઉલટફેર,બંગાળમાં લહેરાશે ભગવો

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

ધર્મ સભામાં ઓટીટી પ્લેટફોર્મ પરના ચિત્રણ અને સિવિલ કોડને લઈને ચર્ચા કરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો