June 24, 2026
તાજા સમાચાર

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. ત્યારે રખડતાં ઢોર મામલે રાજકોટમાં પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સવાલ કર્યો કે, કાયદા હોવા છતાં ગુનાઓ બંધ થયા છે? હત્યા અને આત્મહત્યા મામલે પણ કાયદાઓ છે, પરંતુ તેમ છતાં ગુનાઓ બંધ થાય છે? રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને ધીમે-ધીમે સુધારો થશે.

બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સે પણ સરકારની કામગીરી સામે સવાલ ઊઠાવતા કહ્યું કે, સરકારે રખડતાં ઢોર મામલે નક્કર પગલાં લેવાની જરૂર છે. રખડતાં ઢોરોને પકડ્યા બાદ છોડી મૂકવામાં આવે છે. મીડિયા અહેવાલ મુજબ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે સરકારની કામગીરી પર સવાલ કરતા કહ્યું કે, રખડતાં ઢોર મુદ્દે તંત્રે પગલાં લેવાની જરૂર છે.

હાઈકોર્ટે પણ લગાવી હતી ફટકાર

જણાવી દઈએ કે, રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. રાહદારીઓ પર રખડતાં ઢોરના હુમલાની ઘટના છાશવારે બનતી હોય છે. હાઈકોર્ટે પણ રખડતાં ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જલ્દી ચોક્કસ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને મુખ્ય શહેરોના માર્ગ પર રખડતાં ઢોર જોવા મળે છે. રખડતાં ઢોરના હુમલાથી કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે, અગાઉ સરકારે રખડતાં ઢોર મામલે એક બિલ પસાર કર્યું હતું, પરંતુ માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની આશંકાએ બિલ પરત ખેંચવાની ફરજ પડી હતી.

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ,ભારતીય અને પાકિસ્તાની મૂળના ઓછામાં ઓછા 13 નિર્દોષ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ, હેલ્પલાઇન જાહેર

Ahmedabad Samay

બે દિવસમાં થશે આવો ચમત્કાર, ગાયબ થઈ જશે બધાનો પડછાયો, જાણો કેવી રીતે

Ahmedabad Samay

આજથી સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનો પ્રારંભ, 1 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો