May 9, 2026
તાજા સમાચાર

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. ત્યારે રખડતાં ઢોર મામલે રાજકોટમાં પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે સવાલ કર્યો કે, કાયદા હોવા છતાં ગુનાઓ બંધ થયા છે? હત્યા અને આત્મહત્યા મામલે પણ કાયદાઓ છે, પરંતુ તેમ છતાં ગુનાઓ બંધ થાય છે? રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને ધીમે-ધીમે સુધારો થશે.

બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સે પણ સરકારની કામગીરી સામે સવાલ ઊઠાવતા કહ્યું કે, સરકારે રખડતાં ઢોર મામલે નક્કર પગલાં લેવાની જરૂર છે. રખડતાં ઢોરોને પકડ્યા બાદ છોડી મૂકવામાં આવે છે. મીડિયા અહેવાલ મુજબ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે સરકારની કામગીરી પર સવાલ કરતા કહ્યું કે, રખડતાં ઢોર મુદ્દે તંત્રે પગલાં લેવાની જરૂર છે.

હાઈકોર્ટે પણ લગાવી હતી ફટકાર

જણાવી દઈએ કે, રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. રાહદારીઓ પર રખડતાં ઢોરના હુમલાની ઘટના છાશવારે બનતી હોય છે. હાઈકોર્ટે પણ રખડતાં ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જલ્દી ચોક્કસ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને મુખ્ય શહેરોના માર્ગ પર રખડતાં ઢોર જોવા મળે છે. રખડતાં ઢોરના હુમલાથી કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે, અગાઉ સરકારે રખડતાં ઢોર મામલે એક બિલ પસાર કર્યું હતું, પરંતુ માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની આશંકાએ બિલ પરત ખેંચવાની ફરજ પડી હતી.

Related posts

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી

Ahmedabad Samay

બ્રાઝિલમાં એક ગાયે આપ્યું બે માથા વાળા વાછરડાને જન્મ

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો