August 25, 2026
બિઝનેસ

જાણવા જેવુ / શું તમે 100 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલી આ રસપ્રદ વાત જાણો છો? 99 ટકા લોકોને નહીં હોય માહિત

100 Rupees Coin: જે રીતે કોઈ ખાસ વ્યક્તિની યાદમાં સ્મારકો બનાવવામાં આવે છે. તેવી જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં ઘણા વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય 100 રૂપિયાના સિક્કા જોયા છે? અહીં તમને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે અને તેની પાછળની રસપ્રદ વાર્તા પણ જાણવા મળશે.

100 રૂપિયાનો સિક્કો

ભારતમાં જારી કરવામાં આવતા સિક્કા દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા બજારમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારે 100 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. સિક્કાની ખાસિયત એ છે કે, દેશના પૂર્વ વડાપ્રધાનનું જન્મ વર્ષ 1924 અને મૃત્યુનો સમય 2018 છપાયેલ છે. તેના પર વાજપેયીજીની તસવીર પણ બનાવવામાં આવી છે. 35 ગ્રામના સિક્કા બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનની જન્મ શતાબ્દી પર પણ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. એ જ રીતે બીજા ઘણા મહાપુરુષો માટે પણ આવા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે.

આ સિસ્કા પણ થઈ ચૂક્યા છે જારી

આવા અનન્ય સિક્કાઓને સ્મારક સિક્કા (Commemorative Coin) તરીકે ઓળખવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ માટે પ્રથમ વખત સ્મારક સિક્કો વર્ષ 1964માં જારી કરવામાં આવ્યો હતો. ભારત સરકારે અત્યાર સુધીમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા અને 1000 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે. હવે તમે વિચારતા જ હશો કે આ તો માર્કેટમાં દેખાતા નથી તો કોણ લે છે. આપને જણાવી દઈએ કે, લોકોને આવા યુનિક સિક્કા કલેક્ટ કરવા ગમે છે. તમે તેને ઈન્ડિયા સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ કરન્સી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટની મદદથી ખરીદી શકો છો.

Related posts

રિટેલ કંપની Dunzo માં કર્મચારીઓને સમયસર નથી મળતો પગાર, સામે આવી આ મોટી વાત

Ahmedabad Samay

ટાર્ગેટ / ભારતને વિકસિત દેશ બનાવશે વડાપ્રધાન મોદી, 2047 સુધીનો છે લક્ષ્ય

Ahmedabad Samay

ઉપયોગી / નકલી નોટ મળવા પર શું કરવું? RBIએ તમારા દરેક પ્રશ્નનો આપ્યો જવાબ

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

ભારતમાં સસ્તુ થયું સોનું, ખરીદતા પહેલા જાણી લો નવી કિંમત

Ahmedabad Samay

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામની અસર શેરબજારમાં જોવા મળી, દિવાળી જેવો માહોલ

Ahmedabad Samay