દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આવી રહેલ આઈપીઓનો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે તેમ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે જણાવ્યુ હતું.
આઈપીઓ પછી પણ એલઆઈસીનું મેનેજમેન્ટ અને માલિકી તમામ હક્કો સરકારના હાથોમાં જ રહેશે, પરિણામે વીમા પોલીસીના તમામ હિતો સુરક્ષીત રહે.
તાજેતરમાં બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ એપ્રિલથી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષમાં લોંચ કરી દેવાશે, આ માટે એલઆઈસી સંશોધન કાનૂનને નાણા વિધેયકમાં હિસ્સો બનાવાયો છે.
