April 16, 2026
બિઝનેસ

DGCA એ ફ્લાઇટ ટિકિટ રિફંડ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવી દીધી, જાણો હજુ શુ

જો તમે અવારનવાર વિમાનમાં મુસાફરી કરો છો અથવા વેકેશન માટે ફ્લાઈટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઇન કંપનીઓની દાદાગીરી રોકવા અને મુસાફરોને આર્થિક નુકસાનથી બચાવવા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી ટિકિટ કેન્સલ કરાવવી કે નામમાં સુધારો કરવો મુસાફરો માટે માથાનો દુખાવો નહીં રહે, કારણ કે DGCA એ રિફંડ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવી દીધી છે.
ઘણીવાર એવું બનતું હતું કે મુસાફર ટિકિટ કેન્સલ કરે ત્યારે એરલાઇન્સ ‘નોન-રિફંડેબલ’ ટિકિટનું બહાનું કાઢીને પૂરેપૂરી રકમ રાખી લેતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, ભલે તમારું મૂળ ભાડું રિફંડપાત્ર ન હોય, પણ એરલાઇન્સે તમામ કાનૂની કર અને એરપોર્ટટે ફી ફરજિયાતપણે પરત કરવાની રહેશે. આ નિયમ પ્રોમો કોડ કે ડિસ્કાઉન્ટ વાળી ટિકિટો પર પણ લાગુ પડશે. જો તમે ફ્લાઈટ ચૂકી જશો, તો પણ આ ટેક્સ રિફંડ મેળવવો તમારો હક રહેશે.
બુકિંગ કરતી વખતે ઉતાવળમાં તારીખ કે સમય ખોટો નખાઈ જાય તો હવે ગભરાવાની જરૂર નથી. DGCA એ ‘લુક-ઈન’ વિકલ્પ આપ્યો છે, જે મુજબ બુકિંગના ૪૮ કલાકની અંદર તમે ટિકિટ રદ કરો કે તેમાં ફેરફાર કરો, તો એરલાઇન કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટના કિસ્સામાં મુસાફરીના ૭ દિવસ પહેલા બુકિંગ થયેલું હોવું જોઈએ. આ ઉપરાંત, નામની જોડણીમાં ભૂલ હોય તો ૨૪ કલાકમાં મફત સુધારો કરી શકાશે.
DGCA એ રિફંડ માટે પણ સમયમર્યાદા નક્કી કરી દીધી છે. જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હશે, તો કેન્સલેશનના ૭ દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જવા જોઈએ. જો એજન્ટ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા બુકિંગ હશે, તો ૧૪ દિવસમાં રિફંડ આપવાની જવાબદારી એરલાઇનની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, એરલાઇન્સ તમને રિફંડને બદલે ‘ક્રેડિટ શેલ’ (ભવિષ્યમાં મુસાફરી માટે ક્રેડિટ) લેવા માટે મજબૂર કરી શકશે નહીં; પૈસા પાછા લેવા કે ક્રેડિટ રાખવી તે માત્ર મુસાફરનો નિર્ણય રહેશે.
આ નવા નિયમો ૨૬ માર્ચ, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ફેરફારથી ભારતનો હવાઈ પ્રવાસ વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનશે, જેમાં મુસાફરના હિતોને સર્વોપરી રાખવામાં આવ્યા છે.

Related posts

ભારતીય બેંકો સામે બેડ લોન વધવાનું જોખમ, રિટેલ અને MSME સેગમેન્ટ બની શકે છે કારણ: SBI અધિકારી

Ahmedabad Samay

ભારતની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકે FD પર વધાર્યું ઇન્ટરેસ્ટ, હવે બેંક આપી રહી છે 7.25% નું જોરદાર ઇન્ટરેસ્ટ

Ahmedabad Samay

દેશની ત્રણ બેંકો FD પર આપી રહી છે મજબૂત વ્યાજ, જ્યાં તમને ઇન્વેસ્ટ પર મળશે બમ્પર રિટર્ન

Ahmedabad Samay

અદાણીના સામ્રાજ્‍ય હચમચી ગયું,સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Ahmedabad Samay

શેરબજારની ખૂબ જ નબળી શરૂઆત, સેન્સેક્સ 339 પોઈન્ટ ઘટીને 65 હજારની નજીક, નિફ્ટીમાં પણ 105 પોઈન્ટનો ઘટાડો

Ahmedabad Samay

સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો