June 25, 2026
ગુજરાત

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

આજે એલડી કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ દ્વારા અધ્યાપકના સ્યુસાઈડ બાદ મહત્વનો નિર્ણય લેતા કોલેજ હવેથી સ્ટ્રેસ મેનેજમેન્ટના પાઠ અધ્યાપકોને ભણાવશે. એલડી કોલેજમાં અધ્યાપકે સ્ટ્રેસના કારણ સાથે સ્યુસાઈડ કરી લેતા છેલ્લા કેટલાક સમયથી એલડી કોલેજ વિવાદમાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારે વિરોધ આ મામલે કરાયો હતો.

કોલેજમાં વિવિધ 17 વિષયોમાં કાર્યરત 250 જેટલા અધ્યાપકો માટે કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાની પણ યોજના છે. ઈલેક્ટ્રીકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસરની ઘટના બાદ  આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને આજની ફાસ્ટ લાઈફ સ્ટ્રેસ મેનેજમેન્ટ ધ્યાનમાં રાખી કોલેજ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે માટે આજે મંગળવારે કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. એપ્લાઇડ મિકેનિક્સ વિભાગના હોલમાં સાંજે 4.30 કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં એક્સપર્ટ દ્વારા કેટલીક બાબતો વિશે અધ્યાપકોને પણ અવગત કરાવવામાં આવશે, આગામી સમયમાં પણ આ પ્રકારે કાર્યક્રમો યોજવામાં આવશે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો