May 9, 2026
ગુજરાત

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

આજે એલડી કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ દ્વારા અધ્યાપકના સ્યુસાઈડ બાદ મહત્વનો નિર્ણય લેતા કોલેજ હવેથી સ્ટ્રેસ મેનેજમેન્ટના પાઠ અધ્યાપકોને ભણાવશે. એલડી કોલેજમાં અધ્યાપકે સ્ટ્રેસના કારણ સાથે સ્યુસાઈડ કરી લેતા છેલ્લા કેટલાક સમયથી એલડી કોલેજ વિવાદમાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારે વિરોધ આ મામલે કરાયો હતો.

કોલેજમાં વિવિધ 17 વિષયોમાં કાર્યરત 250 જેટલા અધ્યાપકો માટે કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાની પણ યોજના છે. ઈલેક્ટ્રીકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસરની ઘટના બાદ  આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને આજની ફાસ્ટ લાઈફ સ્ટ્રેસ મેનેજમેન્ટ ધ્યાનમાં રાખી કોલેજ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે માટે આજે મંગળવારે કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. એપ્લાઇડ મિકેનિક્સ વિભાગના હોલમાં સાંજે 4.30 કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં એક્સપર્ટ દ્વારા કેટલીક બાબતો વિશે અધ્યાપકોને પણ અવગત કરાવવામાં આવશે, આગામી સમયમાં પણ આ પ્રકારે કાર્યક્રમો યોજવામાં આવશે.

Related posts

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો