March 29, 2026
અપરાધ

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો, ટૂંક સમયમાં આવશે ચૂકાદો, જાણો શું હતો મામલો

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો સંભાળવવામાં આવશે. ત્યારે અત્યારથી જ કોર્ટરુમ ભરાઈ ગયો છે. બહાર ચૂસ્ત પોલીસનો બંદોબસ્ત પણ સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં 11 લોકોના કથિત રીતે મોત થયા હોવાના કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે. સેશન કોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસના જવાનો તહેનાત કરાયા છે.

2008ના રોજ સીટને તપાસ સોંપવામાં આવી હતી
26 ઓગષ્ટ 2008ના રોજ સીટને તપાસ સોંપવામાં આવી હતી. ગોધરાકાંડ સહીત 9 કેસની તપાસ સીટે કરી હતી જ્યારે અગાઉ 2022માં ઘટના બની બતી. નરોડા ગામ હત્યાકાંડ મામલે 21 વર્ષે આ ચૂકાદો આવશે. 8 કેસમાં ચુકાદો આવી ગયો છે એક કેસમાં ચુકાદાની રાહ જોવાતી હતી. 2002ના ગોધરા પછીના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

આ કેસમાં 258 સાક્ષીઓ 
6 સ્ટેનો પાસે 13 દિવસમાં હજાર પાનાનો ચુકાદો લખાવાયો.
10 હજાર પાનાની લેખિત દલીલો, 100 ચુકાદા ટાંકવામાં આવ્યા
આ કેસમાં 258 સાક્ષીઓ છે. જરુરીયાત મુજબના 187 સાક્ષીઓની તપાસ કોર્ટ સમક્ષ પૂર્ણ
પોલીસ દ્વારા 86 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો

86માંથી 17 આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
જેમાંથી 86માંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે
આ કેસમાં માયા કોડનાની બાબુ બજરંગી જયદીપ પટેલ સહીતના આગાવોને છે આરોપી
કુલ 68 આરોપીઓ સામે ચાલી રહી છે ટ્રાયલ

આ હતો મામલો
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તોફાનો ફાટી નિકળ્યા હતા.

Related posts

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

અમદાવાદ ઓઢવ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ ઝપત કરાઇ

Ahmedabad Samay

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો