June 22, 2026
ગુજરાત

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

વર્ષ 2002માં સર્જાયેલા ગોધરાકાંડ બાદ અમદાવાદમાં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ સ્પેશ્યિલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.  જેમા માયા કોડનાની અને બાબુ બજરંગીને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

28 ફેબ્રુઆરીએ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ખાસ SIT કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

આ કેસમાં પોલીસ દ્વારા કુલ 86 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, VHPના નેતા જયદીપ પટેલ પણ સામેલ હતા. કુલ 86 પૈકી 17 આરોપીઓના મોત થઇ ચૂક્યા હતા. કોર્ટે ગત સપ્તાહે જ સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે કોર્ટે આજની સુનાવણી દરમ્યાન તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. બનાવના 21 વર્ષ બાદ કોર્ટ ચુકાદો આપ્યો છે, ત્યારે પિડીત પક્ષ દોષીઓને કડક સજા થાય અને તેમને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યો છે.

આ કેસમાં 26 ઓગસ્ટ, 2008ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ને તપાસ સોંપાઈ હતી. આ કેસમાં કુલ 58 સાક્ષીઓએ બચાવ પક્ષે જુબાની આપી હતી. જ્યારે કે 187 સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી. કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના લગભગ 14 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 6 જજોએ સતત મામલાની સુનાવણી કરી.

Related posts

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો