June 25, 2026
રમતગમત

CSK Vs RR: ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામેના આ હરકત પર કર્યો પસ્તાવો, સાથી ખેલાડીનો ચોંકાવનારો ઘટસ્ફોટ

ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16 માં ખૂબ જ રોમાંચક મેચમાં, રાજસ્થાન રોયલ્સે CSK ને 32 રનથી હરાવ્યું.  આ મેચની વચ્ચે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. લાંબા સમય સુધી મેદાન પર ધોનીના પાર્ટનર રહેલા પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું છે કે માહીને સૌથી વધુ શું અફસોસ છે.

ધોની ક્રિકેટના મેદાન પર કેપ્ટન કૂલ તરીકે ઓળખાય છે. પરંતુ 2019માં રાજસ્થાન રોયલ્સ અને CSK વચ્ચે રમાયેલી મેચમાં કંઈક એવું થયું કે ધોની પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. આટલું જ નહીં, ધોની મેદાનની વચ્ચે અમ્પાયરો સાથે દલીલ કરવા માટે ડગઆઉટમાં પણ પહોંચી ગયો હતો. ઉથપ્પા કહે છે કે ધોનીને હંમેશા આ વાતનો અફસોસ રહેશે.

2019માં બંને ટીમો વચ્ચેની મેચમાં CSKએ 24 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ધોનીએ 58 અને રાયડુ 57 રનની ઇનિંગ રમીને CSKને સંભાળ્યું. છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 18 રનની જરૂર હતી. જાડેજાએ પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર સ્ટોક્સે ધોનીની વિકેટ લીધી હતી.

 

ધોનીએ ભૂલ સ્વીકારી લીધી

આ પછી સેન્ટનર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. સ્ટોક્સે ફુલ ટોસ બોલિંગ કરી હતી. અમ્પાયરે તેને નો બોલ ગણાવ્યો. જોકે લેગ અમ્પાયરે આ નિર્ણય બદલી નાખ્યો અને આ બોલને યોગ્ય ગણાવ્યો. આ વાત પર ધોની ગુસ્સે થઈ ગયો અને મેદાનની વચ્ચે પહોંચી ગયો અને અમ્પાયરો સાથે દલીલ કરવા લાગ્યો.

જોકે આ નિર્ણયથી મેચના પરિણામમાં કોઈ ફરક પડ્યો નથી. સેન્ટનરે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને CSKને જીત અપાવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ઉથપાએ કહ્યું કે, મેં આ અંગે ધોની સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે તે ખૂબ જ પરેશાન હતો. ધોનીએ સ્વીકાર્યું કે તેણે અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા મેદાનની વચ્ચે ન જવું જોઈતું હતું.

Related posts

ઋષભ પંતના ફેન્સ માટે મોટા સમાચાર, શરુ કરી બેટીંગની પ્રેક્ટિસ

Ahmedabad Samay

SRH Vs DC: હૈદરાબાદની હારથી એઇડન માર્કરામ નિરાશ, કહ્યું- ‘એક એવી ટીમ જે જીતવા માટે ઉત્સાહિત નહોતી’

Ahmedabad Samay

LSG Vs MI Eliminator: લખનઉને હરાવીને બીજી ક્વોલિફાયરમાં પહોંચી મુંબઇ, આકાશ મધવાલનું ખતરનાક પ્રદર્શન

admin

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કર્યા કોહલી-શાસ્ત્રીની જોડીના વખાણ, રાહુલ દ્રવિડ પર સાધ્યું નિશાન

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

સ્‍પોર્ટ્‍સ એકટીવીટી માટે ફાયર, સેફટી, પાર્કિંગ અને સિક્યોરિટી નિયમો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો