May 10, 2026
ધર્મ

અયોધ્યામાં ૨૧ લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવમાં આવશે

રોશનીના પર્વ માટે અયોધ્‍યા રોશનીથી ઝગમગી ઉઠી છે . શણગાર એવી રીતે કરવામાં આવ્‍યો છે કે જાણે પૃથ્‍વી પર સ્‍વર્ગ ઉતરી આવ્‍યું હોય. ચમકતા રસ્‍તાઓ, એક રંગમાં રંગાયેલી ઇમારતો અને આકર્ષક લાઇટિંગ સાથે રામકથા પર આધારિત ૧૫ તોરણ અને અનેક સ્‍વાગત દ્વાર અયોધ્‍યાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. આજે દીપોત્‍સવમાં માત્ર રામ કી પૌરી પર ૨૧ લાખ દીવા પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે એક વર્લ્‍ડ રેકોર્ડ પણ સાબિત થશે. આ રેકોર્ડ હાંસલ કરવા માટે વધારાના ૩ લાખ ૬૦ હજાર દીવા પણ પ્રગટાવવામાં આવશે જેથી દીપમાળા સતત જળવાઈ રહે. આજે કુલ ૨૫ લાખ દીવડા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ કરવામાં આવશે.

આજે સાંજે રામલલાના દરબારમાં પહેલો દીવો પ્રગટાવતાની સાથે જ સમગ્ર અયોધ્‍યા ઝળહળી ઉઠશે. ભગવાન શ્રી રામ પુષ્‍પક વિમાનના રૂપમાં હેલિકોપ્‍ટરમાં અયોધ્‍યા પહોંચશે. સીએમ યોગી અને રાજયપાલ આનંદી બેન પટેલ તેમનું સ્‍વાગત કરશે. આ પછી સીએમ યોગી વશિષ્ઠની ભૂમિકામાં શ્રી રામનો રાજયાભિષેક કરશે. આ પ્રસંગના સાક્ષી બનવા માટે લગભગ પાંચ હજાર મહેમાનો રામકથા પાર્કમાં હાજર રહેશે. આ વખતે સરયૂ બ્રિજ પર ૨૦ મિનિટ સુધી ગ્રીન ફટાકડા ફોડવામાં આવશે. તેના પર લગભગ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

મુખ્‍યમંત્રી અને અન્‍ય મહેમાનો સરયુ કિનારેથી આતશબાજી નિહાળશે. જો રામનગરીના રહેવાસીઓના આનંદની વાત કરીએ તો, લંકાના વિજય પછી શ્રી રામના અયોધ્‍યા પાછા ફરવાની ઉજવણી કરવા માટે, તેઓએ તેમના ઘરોને ત્રેતાયુગમાં સજાવવામાં આવ્‍યા હતા તે જ રીતે શણગાર્યા છે. ઘરો અને દુકાનોના દરવાજા અને દિવાલો પર રામકથા અને શુભતાના પ્રતીકો દોરવામાં આવ્‍યા છે.

હનુમાન જયંતિ નિમિત્તે રામનગરી શનિવારે ફરી ઈતિહાસ રચવાના ઉંબરે છે. રામ કી પૌડીના ૫૧ ઘાટો પર દીવાઓનો શણગાર કરવામાં આવ્‍યો છે. ૨૪.૬૦ લાખ દીવડા લગાવવામાં આવ્‍યા છે.

રામકથાના વિવિધ દ્રશ્‍યોથી સુશોભિત ૧૫ તોરણ આકર્ષણમાં વધારો કરી રહ્યા છે. રામકથા પાર્કમાં રાજ દરબારની થીમ પર ભવ્‍ય સ્‍ટેજ શણગારવામાં આવ્‍યું છે. આ મંચ પર રાજયાભિષેક સમારોહનું આયોજન કરવામાં આવશે. પાર્કમાં અનેક જગ્‍યાએ મહેલ જેવા દ્રશ્‍યો સર્જાયા છે.

દીપોત્‍સવના દિવસે રામલલ્લા વિશેષ પોશાકમાં સજ્જ થશે. શ્રી રામ જન્‍મભૂમિના મુખ્‍ય આર્કિટેક્‍ટ આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસે જણાવ્‍યું હતું કે વાદળી સિલ્‍કનો ડ્રેસ બનાવવામાં આવ્‍યો હતો, જે આજે રામ લલ્લા અને ચારેય ભાઈઓ પહેરશે. આ સાથે, સોનાનો મુગટ પણ પહેરવામાં આવશે અને તેને અન્‍ય ઘરેણાંથી શણગારવામાં આવશે.

દીપોત્‍સવના મુખ્‍ય આકર્ષણો

* ૨૧ લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બની શકે છે

* ૨૫,૦૦૦ સ્‍વયંસેવકોએ ૫૧ ઘાટ પર ૨૪.૬૦ લાખ દીવા ફેલાવ્‍યા

* ૮૪ કોસના ૪૪ મંદિરોમાં ૦૭ લાખ દીવા પ્રગટાવવામાં આવશે.

* રામજન્‍મભૂમિમાં ૧.૫૦ લાખ દીવા પ્રગટાવવામાં આવશે

* રામ કી પૌરી ખાતે ૨૦૦ ફૂટ લાંબી સ્‍ક્રીન પર લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો

* રામ કી પૌડી ખાતે લેસર શોની રામકથા

* રામકથાના પ્રસંગો પર આધારિત ૧૧ રથ પર ભવ્‍ય ઝાંખી

* રામકથા પર આધારિત ૧૫ પ્રવેશદ્વાર

* લાઇટિંગ સાથે ૨૫ પ્રવેશદ્વાર

* ચાર દેશોમાં રામલીલાનું મંચન થયું

* ૨૫ રાજયોના ૨૫૦૦ લોક કલાકારોની રજૂઆત

* જૂના સરયુ પુલ પર લીલી આતશબાજી

* ૫૨ દેશોના રાજદૂતો ભાગ લેશે

 

દીપોત્‍સવમાં મુખ્‍યમંત્રીનો કાર્યક્રમ

*  બપોરે ૨.૨૦ વાગ્‍યે- મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ રામકથા પાર્ક હેલિપેડ પહોંચશે

*  બપોરે ૩ થી ૫ – રામકથા પાર્ક ખાતે ભગવાન રામનો પ્રતિકાત્‍મક રાજયાભિષેક

*  સાંજે ૫.૨૦- રામ કી પાઈડી ખાતે દીપોત્‍સવમાં ભાગ લેશે

*  સાંજે ૭.૦૫- રામકથા પાર્કમાં આયોજિત રામલીલા નિહાળશે.

*  ૧૨મી નવેમ્‍બરના સવારે આઠ વાગ્‍યે- હનુમાનગઢી અને રામલલાના દર્શન-પૂજા.

*  ૮.૪૫ થી ૯.૪૫ – સંતોને મળશે અને અલ્‍પાહાર કરશે.

*       સવારે ૯.૫૦ કલાકે રામકથા પાર્ક હેલીપેડથી ગોરખપુર જવા રવાના થશે”

Related posts

૨૦ જુલાઇ મંગળવાર ના રોજ દેવશયની એકાદશી ના દિવસે બની રહ્યા છે બે શુભ યોગ, જાણો મુહૂર્ત,વ્રત વિધિ અને તેનું મહત્વ શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

ગુરુવારના ચમત્કારી ઉપાય: કુંડળીમાં ગુરુ અશુભ હોય તો ગુરુવારે કરો આ સરળ ઉપાય, ચમકશે ભાગ્ય

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકો માટે નોકરી બદલવાનો શ્રેષ્ઠ સમય છે, જાણો તમારી કુંડળી

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

આજે ઉજવશે દેવી દેવતાઓ હોળી, જાણો રંગપંચમીના તહેવારનું ધાર્મિક મહત્ત્વ

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો