June 24, 2026
ગુજરાત

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા શાંતિથી અને ભાઇચારાનાં માહોલમાં પસાર થાય તે માટે પોલીસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક ટીમ છેલ્લા એક માસથી સતત દોડી રહી છે. આજ સાંજથી હવે પ્રેક્‍ટિસ બાદ ખરો બંદોબસ્‍ત શરૂ થશે, બીજા શબ્‍દોમાં કહીએ તો આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં આવી જશે.

આજે પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજવામાં આવેલ જેમાં તમામ સિનિયર જુનિયર અધિકારીઓ પણ સામેલ થયેલ. આજે સંભવત મુખ્‍યમંત્રી તથા ગૃહમંત્રી આરતી કરવા આવશે. સ્‍થાનિક, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી પણ ભાજપના ગુજરાતના ગઢમાં ગુજરાતભરમાં અરેરાટી જગાવનાર રાજકોટ ગેમઝોન કાંડ પગલે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવનાર હોય પોલીસ બંદોબસ્‍તની રણનીતિમાં ફેરફાર કરી કોઈ ઘર્ષણ ન જાગે તે માટે અને પોલીસ  ઉપર કોઈ બિન જરૂરી આરોપ ન મુકાય તે માટે ખાસ કાળજી રાખવા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.

કાલે સવારે યોજાનાર મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી દ્વારા મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવશે.

ભગવાનના મામાનુî ઘર ઍટલે સરસપુર આ વિશાળ વિસ્તારના લોકો ભગવાનના તથા તેમના ભક્તો માટે ભાવતા ભોજનિયા ­સાદ સહિત મામેરા કાર્યક્રમ હોય તથા રથયાત્રામાî જાડાયેલા અહી ભોજન ­સાદ ગ્રહણ કરવાનાî હોય આ સ્થળની અગત્યતા ધ્યાને રાખી સ્પેશ્યલ બ્રાન્ચના વડા અને બîદોબસ્ત સ્કિમ જેમના માર્ગદર્શન હેઠળની ટીમે બનાવી છે તેવા આ વિસ્તારના ઇન્ચાર્જ અજય ચોધરી દ્વારા અચાનક સાîજથી ફૂટ પેટ્રોલિîગ યોજેલ. સેકટર વડા નીરજ બડગુજ્જર તમામ ડીસીપી સાથે રૂટ નિરીક્ષણ કરેલ. રથયાત્રાની મોખરે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિîઘલ, ડીસીપી અજિત રાજિયાન ટીમ રહેશે.

Related posts

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો