July 18, 2026
ગુજરાત

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા શાંતિથી અને ભાઇચારાનાં માહોલમાં પસાર થાય તે માટે પોલીસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક ટીમ છેલ્લા એક માસથી સતત દોડી રહી છે. આજ સાંજથી હવે પ્રેક્‍ટિસ બાદ ખરો બંદોબસ્‍ત શરૂ થશે, બીજા શબ્‍દોમાં કહીએ તો આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં આવી જશે.

આજે પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજવામાં આવેલ જેમાં તમામ સિનિયર જુનિયર અધિકારીઓ પણ સામેલ થયેલ. આજે સંભવત મુખ્‍યમંત્રી તથા ગૃહમંત્રી આરતી કરવા આવશે. સ્‍થાનિક, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી પણ ભાજપના ગુજરાતના ગઢમાં ગુજરાતભરમાં અરેરાટી જગાવનાર રાજકોટ ગેમઝોન કાંડ પગલે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવનાર હોય પોલીસ બંદોબસ્‍તની રણનીતિમાં ફેરફાર કરી કોઈ ઘર્ષણ ન જાગે તે માટે અને પોલીસ  ઉપર કોઈ બિન જરૂરી આરોપ ન મુકાય તે માટે ખાસ કાળજી રાખવા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.

કાલે સવારે યોજાનાર મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી દ્વારા મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવશે.

ભગવાનના મામાનુî ઘર ઍટલે સરસપુર આ વિશાળ વિસ્તારના લોકો ભગવાનના તથા તેમના ભક્તો માટે ભાવતા ભોજનિયા ­સાદ સહિત મામેરા કાર્યક્રમ હોય તથા રથયાત્રામાî જાડાયેલા અહી ભોજન ­સાદ ગ્રહણ કરવાનાî હોય આ સ્થળની અગત્યતા ધ્યાને રાખી સ્પેશ્યલ બ્રાન્ચના વડા અને બîદોબસ્ત સ્કિમ જેમના માર્ગદર્શન હેઠળની ટીમે બનાવી છે તેવા આ વિસ્તારના ઇન્ચાર્જ અજય ચોધરી દ્વારા અચાનક સાîજથી ફૂટ પેટ્રોલિîગ યોજેલ. સેકટર વડા નીરજ બડગુજ્જર તમામ ડીસીપી સાથે રૂટ નિરીક્ષણ કરેલ. રથયાત્રાની મોખરે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિîઘલ, ડીસીપી અજિત રાજિયાન ટીમ રહેશે.

Related posts

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

ઉસમાનપુર દરગાહ પર મૌલવી સહિત ૧૨ જેટલા લોકોની અટકાયત

Ahmedabad Samay

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ,ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો