May 8, 2026
ગુજરાતદેશ

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

કોરોના કાળમાં મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને જોતા લોકો પણ ઘરેથી કામ કરવાને જ વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. એવામાં દેશની સરકારી બેંક બેંક ઑફ બરોડાપણ આ દિશામાં મોટો નિર્ણય લઈ શકે છે

 

બેંક ઑફ બરોડામાં તાજેતરમાં જ વિજયા બેંક અને દેના બેંકનો વિલય કરવામાં આવ્યો છે. બેંકે કોરોના બાદ આ વર્ક ફ્રોમ હોમની રણનીતિ બનાવવાના સૂચન માટે મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મ મેકિન્સે એન્ડ કંપનીની નિમણૂંક કરી છે

આ અંગે બેંક ઑફ બરોડાના CEO સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું કે, બેંક  આ પ્રકારની રણનીતિ પર વિચાર કરી રહી છે. મહામારી  બાદ બેંક પોતાના કર્મચારીઓ અને તેમના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને કામ કરે.

ચઢ્ઢાએ બેંકના ત્રીજા ત્રિમાસિક આર્થિક પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2021માં ત્રીજા ત્રિમાસિકમાં બેંક ઑફ બરોડાને (Bank Of Baroda) 1061.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં બેંકને 1407 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

ઓક્ટોબર મહિનામાં જ બેંકે પોતાના વર્ક ફોર્સને 50-50માં વિભાજિત કરીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. બેંક ઑફ બરોડાના કુલ વર્કફોર્સના 50-50 ભાગોમાં વિભાજિત કરીને અડધા કર્મચારીઓને આગામી 5 વર્ષ માટે ઘરેથી કામ કરવાની તૈયારી હતી. જ્યારે અડધા કર્મચારીઓને બેંકમાં આવીને કામ કરે, તેવો નિર્ણય લેવાયો હતો.

Related posts

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

દિવાળી આવવાના પહેલાજ સરકારે આપી દિવાળી ભેટ, જાણો GST માં સુધારો થતા કઇ કઇ વસ્તુઓ થઇ સસ્તી

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો