May 12, 2026
દેશ

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

જમ્‍મુ અને કાશ્‍મીરના કુલગામથી સૈના અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ થઈ. આ અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા. તે જ સમયે, ૧૦ સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અથડામણમાં સેનાએ એક આતંકવાદીને પણ ઠાર માર્યો છે. તમને જણાવી દઈએ કે કુલગામમાં ૯મા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે અથડામણ ચાલુ છે. દુર્ગમ જંગલ વિસ્‍તારમાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્‍ટર સહિત તમામ જરૂરી માધ્‍યમોનો ઉપયોગ કરી રહ્યા છે. ચિનાર કોર્પ્‍સે આ વાતની પુષ્ટિ કરતા ટ્‍વિટ કર્યું છે. આ ટ્‍વીટમાં લખ્‍યું છે કે અપડેટઃ ઓપી અખાલ, કુલગામ… ચિનાર કોર્પ્‍સ રાષ્‍ટ્ર માટે પોતાની ફરજ બજાવતા બહાદુર, લેફ્‌ટનન્‍ટ કર્નલ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્‍ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની હિંમત અને સમર્પણ આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. #IndianArmy ઊંડા શોક વ્‍યક્‍ત કરે છે અને શોકગ્રસ્‍ત પરિવારો સાથે એકતા વ્‍યક્‍ત કરે છે.

જમ્‍મુ અને કાશ્‍મીરના કુલગામના અખાલ જંગલ વિસ્‍તારમાં ચાલી રહેલ એન્‍કાઉન્‍ટર ખીણમાં સૌથી લાંબા આતંકવાદ વિરોધી ઓપરેશનમાંનું એક છે. ૧ ઓગસ્‍ટથી શરૂ થયેલા આ એન્‍કાઉન્‍ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. દક્ષિણ કાશ્‍મીર જિલ્લાના અખાલના જંગલ વિસ્‍તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્‍યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Related posts

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

Ahmedabad Samay

‘સિંધુ દર્શન યાત્રા’ હવે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વધુ સુલભ બનશે,પ્રવાસીઓ માટે ₹15,000ની આર્થિક સહાય આપવામાં આવશે

Ahmedabad Samay

ફરી લોકડાઉન, કેસ વધતા પશ્વિમ બંગાળમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત હાંસલ કરી

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો