March 27, 2026
ગુજરાત

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્‍થાપક શાસ્‍ત્રીજી મહારાજે પ્રમુખસ્‍વામી મહારાજને ૧૯૫૦માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્‍ત કર્યાને ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજના અથાક સેવા, નમ્રતા, કરુણા અને અન્‍યોના કલ્‍યાણ માટે સંપૂર્ણ સમર્પણ  જાતિ, સંપ્રદાય, રંગ કે પૃષ્ઠભૂમિના કોઈ પણ ભેદભાવ વિના જીવાયેલા તેમના જીવનને શ્રદ્ધાંજાલિ અર્પણ કરવામાં આવી હતી. સને ૧૯૫૦માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા, તે જ દિવસે પ્રમુખ સ્‍વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવા કરવાની અનોખી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓના વૈશ્વિક સેવાકાર્યોમાં પ્રતિબિબિત થતો સેવાનો આ આદર્શ તેમના ૯૫ વર્ષના સેવામય જીવનની ઓળખ બની રહ્યો હતો.

મુખ્‍ય આકર્ષણોમાં સ્‍ટેજની રચના પ્રમુખસ્‍વામી મહારાજની આ ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે દર્શાવી રહ્યું હતું. એક તરફ આંબળીવાળી પોળનું સુંદર નિર્મિત પ્રતીક હતું  તે પવિત્ર સ્‍થળ જ્‍યાં પ્રમુખ સ્‍વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા

https://www.instagram.com/reel/DSANU3rktNw/?igsh=MTZwMnNhenRjMnR6cQ==

Related posts

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો